Mysamachar.in-જામનગર:
જામનગર સ્થિત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્સ્ટીટ્યુટ ઓફ ટિચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ સેન્ટરનુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ તારીખ 13ને શુક્રવારે ઓનલાઇન લોકાર્પણ કરવાના છે, ત્યારે આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે મુલાકાત લઇ તમામ આયોજનનુ જામનગર સાંસદ પૂનમબેન માડમે નિરીક્ષણ કરી વ્યવસ્થા નિહાળી હતી
નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે જામનગર સ્થિત “ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી” ને,વિડીયો કોન્ફરન્સીંગથી, નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇમ્પોર્ટન્સ ઘોષીત કરવાના છે, અને ITRA સેન્ટર ખુલ્લુ મુકવાના છે આ પ્રસંગે મહામહિમ રાજ્યપાલ દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજયરૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અહી ઉપસ્થિત રહેવાના હોઇ, તે અંતર્ગત યુનિ. કેમ્પસમા કરવામા આવેલી તૈયારીઓનુ તેમજ વ્યવસ્થાનું, કેન્દ્રીય આયુષ મંત્રાલયના સચિવ કોટેચા,કુલપતિ ઠાકર સહિતના અધીકારીઓ સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમએ નિરીક્ષણ કરી,સમગ્ર આયોજનની સમીક્ષા કરી હતી
જામનગર તેમજ આ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો મળવા અંગે આ તકે પૂનમબેન માડમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે તેમજ જામનગર આ રીતે રાષ્ટ્ર અને વિશ્ર્વકક્ષાએ ઝળહળનારૂ હોઇ સૌ નગરજનો તેમજ યુનિવર્સિટીના સૌ અધીકારીઓ સંશોધકો અધ્યાપકો વિદ્યાર્થીઓ સૌને અભિનંદન પાઠવ્યા છે.