Mysamachar.in-જામનગર:
ભૂકંપ સિસ્મિક ઝોન4 માં આવતા જામનગર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં સતત ભુંકપના આંચકાઓ અનુભવ થતો રહે છે, જાણકારો ધરતીના પેટાળમાં આને સામાન્ય હિલચાલ પણ કહે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જામનગરની ધરા વારંવાર ધ્રુજી રહી છે, એવામાં છેલ્લી કેટલીક કલાકોમાં જ ભૂકંપના 8 આંચકાઓ સતાવાર રીતે નોંધાયા છે, જેમાં ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યાથી માંડીને આજે વહેલી સવારે ૩:37 સુધીમાં જે 8 આંચકાઓ નોંધાયા છે, જેમાં બપોરે ત્રણ વાગ્યે 1.7. ૩.44 વાગ્યે 2.૩, 6:26 વાગ્યે 2.7 , 6:45 વાગ્યે 1:9, 6:46 વાગ્યે 2.4ની તીવ્રતાના અચકાઓ નોંધાયા હતા. આ તમામ આંચકોનું કેન્દ્રબિંદુ જામનગર અને કાલાવડ વચ્ચેના ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયું હતું. જે બાદ મોડીરાત્ર અને વહેલી સવારે પણ આંચકાઓ નોંધાયા છે જેમાં રાત્રે 2 વાગ્યે 1.9, 2:20 વાગ્યે 1.9 અને ૩:37 વાગ્યે 1.8ની તીવ્રતાનો આંચકાઓ નોંધાયા છે.પણ તીવ્રતા સામાન્ય હોય અમુક વિસ્તારોમાં લોકો આંચકો આવ્યાનો અનુભવ કરે છે જયારે અમુક વિસ્તારોમાં અનુભવ પણ નથી થતા તેવું જાણવા મળે છે.