Mysamachar.in-જામનગર
જામનગર PGVCL સર્કલ એ ગ્યા વર્ષ 14 કરોડનુ આંધણ કર્યુ હતુ અને આ વર્ષે 15 કરોડનુ આંધણ કરવાનુ ચાલુ જ છે, ગયા વર્ષે અસહ્ય વીજધાંધીયા એ માજા મુકી હતી તેવી જ રીતે આ વર્ષ પણ વીજ ધાંધીયાએ માજા મુકી છે ગયા વર્ષની જેમ જ વરસાદી માહોલમા શહેરોમા વીજધાંધીયા એ અને વીજકાપે હદ વટાવી છે અને ગામડાની તો હાલત જ ન પુછો એવી સ્થિતિ છે અમુક દિવસ કોઇ વિસ્તારમા ચાલુ વરસાદે લાઇટ ન જાય તો ગુણગાન ગવાય છે પરંતુ બાકીના નેવુ થી પંચાણુ ટકા વિસ્તારમા વીજળી નથી એ તો જુઓ?? ખાસ કરીને સબડીવીઝનના અધિકારીઓ સ્ટાફ ઉપર ડીવીઝન કે સર્કલ લેવલેથી કોઇ કંટ્રોલ નથી માટે આવી સ્થિતિ સર્જાઇ છે વીજવિભાગની જી.ઇ.બી.માં થી કંપનીઓ થઇ અને સારી સર્વિસ મળતી થઇ હતી ત્યારબાદ ધીમે ધીમે ગેરરીતિઓ આકાર લેવા માંડતા ફરીથી ખાસ કરી PGVCL ના જામનગર સર્કલ ની વાત કરીએ તો ફરીથી જી ઇ બી વખતના માહોલ તરફ સરકે છે.
જેના સમર્થનમા અનેક બાબતો વચ્ચે ખાસ તો વીજ ધાંધીયા ની બાબત ખુબ ગંભીર છે અને આ વીજ ધાંધીયા ટાળવા ગત વર્ષે 14 કરોડ રૂપિયાનુ આંધણ કર્યા બાદ આ વર્ષમા ફરી રૂપિયા 15 કરોડ રૂપિયા નુ આંધણ થઇ રહ્યુ છે અને જંગી નાણા વપરાય ગયા છે, ખાસ કરીને ચોમાસા પહેલા વીજ લાઇન મેન્ટેનન્સના નામે જેને પ્રિમોન્સુન કામગીરી કહે છે તેમાં પાણીની જેમ નાણા વપરાય છે અને વરસાદ આવે એટલે તમામ ખર્ચ વરસાદી પાણીમા તણાય જતો હોય તેમ વીજસમસ્યાઓ ત્રાહીમામ પોકારાવે છે જે સૌનો અનુભવ છે વળી વર્ષ દરમ્યાન અનેક ગામ અનેક વિસ્તારો જાણે અણમાનીતા હોય ત્યા તો કાયમી વીજપ્રશ્નોથી લોકો ત્રાહિમામ થાય છે અને છતાય કોઇ જલ્દી સાંભળતુ પણ નથી અને ફોલ્ટ સેન્ટરોમાં તો ફોન જ લાગતા નથી તેવો પણ લોકોનો રોષ છે,
જામનગર PGVCL માં ગત વર્ષે મેન્ટેનન્સ માટે 14 કરોડ રૂ. ફાળવાયા હતા અને આ વર્ષે 15 કરોડ ફાળવાયા હતા જેમાંથી ખાસ તો પ્રિમોન્સુન કામ માટે જેવા કે ટ્રાન્સફોર્મર રીપેરીંગ-ફીડર વર્ક-તાર બદલવા-પોલ સરખા કરવા-તાણીયા બાંધવા-ગાર્ડીંગ કરવુ-સ્વીચ બદલવી-ફ્યુઝ બદલવા-અર્થીંગ યોગ્ય કરવા-લાઇન ચેક કરવી પુરવઠો ચેક કરવો-નડતા ઝાડ કે બીજા કંઇ અડચણ દૂર કરવા સહિતની કામગીરીનો સમાવેશ થયો હતો બીજી તરફ પ્રશ્ન એ થાય છે કે કરોડો રૂપિયાના ખર્ચ છતા સામાન્ય પવન કે વરસાદમા વારંવાર વીજ ધાંધીયા શા માટે થાય છે. ?અનેક સ્થળે થાંભલાઓમાં તિખારા શા માટે થાય છે? અનેક વીજ તાર વારંવાર કેમ તુટે છે? ટ્રાન્સફોર્મરોમા ફોલ્ટ વારંવાર શા માટે થાય છે? અનેક લાઇનોમાં શોર્ટ સરકીટથી કોઇને ઇજાઓ કે પશુ મૃત્યુના બનાવો શા માટે વારંવાર બને છે? અનેક વિસ્તારોમાં અર્થીંગ શા માટે થતા જ નથી? અનેક થાંભલા શા માટે જોખમી જ રહે છે??
ટ્રી કટીંગ છતા ચોમાસામા ઝાડ ભટકાવાથી વીજપોલ અને વીજ લાઇન સાથે અથડાતા બનતા શોર્ટ સરકીટ તેમજ વીજ પુરવઠો ઠપ્પ થાય છે શા માટે? ચોમાસામા વીજ ધાંધીયાથી લોકો ત્રાહીમામ શા માટે થાય છે? અનેક વિસ્તારોમા લો વોલ્ટેજ અનેક વિસ્તારોમા વારંવાર વીજ ફોલ્ટ અનેક સ્થળોની ફરિયાદો એટેન્ડ ન થવી વગેરે બાબતો શા માટે બને છે.? હાલના યુગમા ઘરના જરૂરી કામકાજ ઉપરાંત દુકાનો ઓફીસો દવાખાના કારખાના લેબોરેટરી ઇલેક્ટ્રોનીક્સ સાધનો અને ઇલેક્ટ્રીકલ સાધનો વીજપુરવઠા પર જ આધારીત હોઇ વિજળી ઠપ્પ થાય તો જીવનના જરુરી કામો ઠપ્પ થયા જેવુ લાગે તેવા સમયમા કરોડોના ખર્ચ બાદ પણ આ આવશ્યક સેવામા વારંવાર થતી અનેક ખામીઓને જાણકારો શંકાની નજર અને ચોખ્ખા આક્ષેપો કરવાના મુડ સાથે જુએ એ સ્વાભાવિક છે માટે ખરેખર ક્યા કેટલો ખર્ચ કર્યો તે નહી યોગ્ય કામ થયુ કે નહી તે મહત્વનુ છે પરંતુ તે PGVCLના જાંબાઝો જોશે કે નહી? અને માત્ર નાણા વેડફી ને જ સંતોષ માનશે? તેવી જ રીતે જે પ્રીમોન્સુન કામગીરી કહેવાતી હતી તેમાં આ વખતે સો ટકા ટ્રી કટીંગ પણ નથી થયા તો મેન્ટેનન્સ તો શુ થયા હશે?.. ધુળ….? છતા નાણા ક્યા વપરાય ગયા તેની ઉંડી તપાસ ઉચ્ચ કક્ષાએથી થાય તેવીમાંગણી ઉઠી છે.