Mysamachar.in-જામનગર
રાજ્યમાં શાળાઓ ખુલે નહીં ત્યાં સુધી ફી નહીં ઉઘરાવવા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ઠરાવ કર્યો છે. આ સામે શાળા સંચાલકોને વાંધો છે. કારણ કે, ફી વિના શાળા સંચાલકો, શિક્ષકો, સ્ટાફની ફીથી માંડીને અન્ય ખર્ચા ઉઠાવી ન શકે. હવે સ્કૂલ ન ખુલે ત્યાં સુધી ફી ન ઉઘરાવવાની ન હોય તો વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું બંધ કરવાનું નક્કી કરાયું છે. આખા ગુજરાતમાં આ નિર્ણય લાગુ પડશે અને તમામ ધોરણમાં આ નિર્ણય લાગુ પડશે. આજથી સમગ્ર ગુજરાતની ખાનગી શાળાઓ ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધું છે, ત્યારે જામનગર ખાનગી શાળા સંચાલક મંડળના મહામંત્રી રમીતભાઈ ચોવટીયાના જણાવ્યા મુજબ જામનગરમાં પણ આ નિર્ણયને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને આજથી જામનગર શહેર જીલ્લાની 225 જેટલી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે કેટલીક શાળાઓ દ્વારા તો ગતરાત્રીના જ વાલીઓને મેસેજ દ્વારા ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાની જાણ પણ કરી દેવાઈ છે.