Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં વધી રહેલા કોરોનાના કેસો અને લોકલ સંક્રમણને જોતા જામનગર કલેકટર રવિશંકર દ્વારા ગતરાત્રીના એક જાહેરનામું પ્રસિદ્ધ કરી અને આજ થી 26 જુલાઈ સુધી જામનગર મહાનગરપાલિકા અને ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં ચા પાન ગુટકાના વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે, પરંતુ આં જાહેરનામાં થી તમાકુના બંધાણીઓને એટલા માટે મોટો પ્રશ્ન નહિ થાય કેમ કે જાહેરનામાંમાં જણાવ્યા મુજબ પાનમસાલાને લગત હોલસેલ વેપારીઓ પોતાની દુકાનો ચાલુ રાખી શકશે. જેથી જેને તમાકુ ગુટખાની જરૂર હશે તેવા બંધાણીઓને પહેલા જેવા એટલે કે લોકડાઉન વખતે જેવા પ્રશ્નો હતા તેવા પ્રશ્નો નહિ થાય…આ જાહેરનામાનો હેતુ સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને લારી ગલ્લાઓ પર ખોટી ભીડ એકત્ર ના થાય તે માટેનો છે.