Mysamachar.in-જામનગર
સરકારની સૌની યોજના જે દિવસ સાકાર થવાની હશે ત્યારે થશે, પરંતુ હાલ તો આ યોજના બાબતે કાલાવડ તાલુકાના કેટલાક ગામોમાં ઉકળતો ચરુ હોય તેમ આંદોલનોની તૈયારીઓ ચાલી રહી છે, એક તો કામમાં રાજકીય ઓથવાળાઓને કામ આપી દઈને વેઠ ઉતારવામાં આવી રહ્યો છે, ઉપરથી કેટલાય સમયથી ખેડૂતોના ખેતરો ખોદીને ઠેકેદારો ફરકતા નથી, અને લટકામાં વળતરનો પ્રશ્ન તો છે જ…ત્યારે ખેડૂતોની દશા દાઝ્યા પર ડામ આપ્યા જેવી છે. મળતી માહિતી મુજબ ખેડૂતોમાં રોષ એટલી હદે વ્યાપી ચુક્યો છે કે હવે આવી જ સ્થિતિ રહેશે તો આંદોલનનો માર્ગ ખેડૂતો અપનાવે તેવો સળવળાટ શરુ થયો છે.