Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકામાં આજે એક ખુબજ દુખદ કહી શકાય તેવી ઘટના ઘટી છે, આ ઘટનામાં કુલ ચાર લોકો પાણીમાં તણાઈ ગયા છે, જેમાંથી બે લોકોના મૃતદેહ મળી ચુક્યા છે, જયારે અન્ય બે બાળકો જે તણાઈ ગયા છે તેને શોધવાની તજવીજ હાથ ધરાઈ રહી છે, જામજોધપુર મામલતદાર કાછડ સાથેની ટેલીફોનીક વાતચીતમાં મળેલ સમર્થન મુજબ ઉદેપુર ગામે રહેતો ભાઈ અને તેની બહેન જે રાણાવાવના છે તે બહેનના ૩ બાળકો અને બહેન સાથે બાઈકમાં પસાર થઇ રહ્યા હતા, ત્યારે અચાનક જ વોકળામાં પાણીનું લેવલ વધી જતા એક બાળકને ભાઈએ સામે કાંઠે મૂકી અને પોતે પોતાની બહેન અને બે બાળકોને લઈને ક્રોસ કરવા જતી વેળાએ તણાઈ જતા બે મૃતદેહો મળી આવ્યા છે, જયારે બે બાળકો જે તણાઈ ચુક્યા છે તેની શોધખોળ ચાલી રહી છે..ઘટનાની જાણ થતા જ જામજોધપુર મામલતદાર કાછડ અને તંત્રની ટીમ પોલીસ ફાયર એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો