Mysamachar.in-જામનગર
જ્યારથી લોકડાઉન થયું ત્યારથી દારૂની કાયદેસરની દુકાનો એટલે કે રાજ્યમાં હોટેલોમાં આવેલ વાઈનશોપ પણ બંધ કરી દેવામાં આવતા કેટલાય હેલ્થ પરમીટધારકોની સ્થિતિ કફોડી બની હતી, અને વાઈનશોપ ખુલે તેની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અનલોકનો તબક્કો શરુ કરવામાં આવતા જ આજથી રાજ્યમાં આવેલ હોટેલોમાં માન્યતાપ્રાપ્ત વાઈનશોપ પણ ખુલી જતા સવારથી જ નશાબંધી વિભાગ દ્વારા આ અંગેની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી,
જામનગર નશાબંધી વિભાગના અધિક્ષક એસ.સી.વાળાએ “માયસમાચાર” ને જણાવ્યા મુજબ જામનગર શહેરની બે હોટેલમાં વાઈનશોપ આવેલ છે, અને આ બન્ને હોટેલમાંથી જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જીલ્લાના અંદાજે ૩૦૦૦ પરમીટધારકો પોતાને મળેલ યુનિટ પ્રમાણે નો કોટા લેવા માટે આવે છે, આજથી શરુ થયેલ વાઈનશોપમા સરકારની કોવીડ 19ની ગાઈડલાઈન અનુસાર દરેકનું સેનેટાઈઝ, સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન પણ ચુસ્તપણે કરાવવામાં આવ્યું હતું, વધુમાં નશાબંધી અધિક્ષક એસ.સી.વાળાના જણાવ્યામુજબ આજે એક જ દિવસમાં 225 પરમીટ ધારકોને ટોકન સીસ્ટમ અમલી બનાવી અને માત્ર ત્રણ વ્યક્તિઓને જ અંદર પ્રવેશની સીસ્ટમ સાથે આજથી વાઈનશોપ સરકારની સુચના મુજબ શરુ કરવામાં આવ્યા છે.
-હેલ્થ પરમીટધારકોનો બે મહિનાનો કોટા ગયો..
જે લોકો હેલ્થપરમીટ ધરાવે છે, તેના યુનિટ પ્રમાણે તેને દરમાસે નિયત કરવામાં આવેલ કોટા મળતો હોય છે, પણ લોકડાઉનને કારણે બે માસ વાઈનશોપના ખુલતા હેલ્થ પરમીટ ધારકોને બે મહિનાનો કોટા ગુમાવવો પડશે.