Mysamachar.in-જામનગર:
નોવેલ કોરોના વાયરસ COVID-19નો જામનગર જિલ્લામાં વધુ ફેલાવો ન થાય તે અનુસંધાને આજરોજ લાલપુર તથા જામજોધપુર મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી.આ બેઠકમાં જિલ્લા કલેકટર રવિશંકરએ લાલપુર તથા જામજોધપુર તાલુકામાં બહારના જિલ્લામાં આવીને આ જિલ્લામાં કોરન્ટાઇન રહેલા નાગરિકોને હોમ કોરન્ટાઇનમાં કેવી રીતે રહે છે ? તેની વિસ્તુતમાં જાણકારી મેળવી ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ હતું.
નાના બાળકો, સગર્ભા બહેનો અને વૃધ્ધોની ખાસ કેર લેવા આરોગ્ય અધિકારીઓને જિલ્લા કલેકટર રવિશંકરએ જણાવી વધુમાં ઉમેર્યું કે, લોકો ઘરેથી ઓફિસે અથવા કામકાજના સ્થળે નિકળતી વખતે જરૂરી ચીજવસ્તુઓનીસાથે માસ્ક પણ ન ભૂલે તેવી ખાસ અપીલ કરી હતી.આગામી દિવસોમાં સરકારી કચેરીઓ હવે ચાલુ થવાની છે જેથીકયાં પ્રકારની તકેદારી કચેરીઓમાં રાખવી તે અંગે અધિકારીઓને જિલ્લા કલેકટર રવિશંકરએ સુચન કરેલ હતું.જિલ્લા કલેકટરે લાલપુર ખાતે આજરોજ બેઠક યોજતા પહેલા લાલપુર સબ રજીસ્ટ્રાર કચેરીની મુલાકાત લીધી હતી.આ બેઠકમાં બન્ને તાલુકાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.