Mysamachar.in-જામનગર
હાલમાં સમગ્ર ગુજરાત અને દેશમાં કોવિડ-19ની મહામારી ચાલે છે. અને ગુજરાત રાજયમાં અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધાયેલ છે, હાલ જામનગરમાં પણ નવા 4 કેસ પોઝીટીવ સામે આવ્યા બાદ કુલ કેસોની સંખ્યા 5 થઇ છે,એવામાં હાલ જામનગર શહેર અને જિલ્લામાંથી સામાન્ય બીમારી તથા ગંભીર બીમારી તમામ માટેના દર્દીઓ જી.જી હૉસ્પિટલમાં સારવાર અર્થે આવે છે.જામનગરની જી.જી હૉસ્પિટલમાં પહેલેથી જ ડોકટરો તથા અન્ય સ્ટાફ ઓછો જ છે. અને એમાંથી પણ હાલ ઘણા ડોક્ટરોને ડેપ્યુટેશન પર અમદાવાદ મોકલવામાં આવેલ છે,
એવામાં કપરાકાળમાં હૉસ્પિટલમાં પણ ડોકટરી સ્ટાફની જરૂરિયાત છે. વધુમાં જો હજુ બીજા ડોકટરોને અહિંથી ખસેડવામાં આવશે અને અમદાવાદમા થી ફરજ પરના ડોકટરોને ડેપ્યુટશન પુરું થયા બાદ પરત આવશે ત્યારે પણ આ ડોકટર જી.જી હૉસ્પિટલમાં તો ફરજ પર તેમના કોરેનટાઈન પીરીયડ પૂર્ણ કરીને પછી જ આવી શકશે અને આમા થી જો કોઈ પણ ડોકટર કે વ્યક્તિ જે અમદાવાદથી પરત આવે અને સંક્રમિત થયેલ હોય તો તે સંક્રમણ ફેલાવી શકે છે. અને આ સંક્રમણ ફેલાય તો તેની જ્વાબદારી સરકારના શીરે રહશે, હાલમા લોકડાઉન ચાલુ છે. તો કોઈ પણ સ્થળાંતર કરે તે ધ્યાનમાં રાખી ડોકટરનું આ ડેપ્યુટેશન કેન્સલ કરી અને જે ડોકટરોને બોલાવેલ છે. અમદાવાદ તેમને પણ તેમના વતનમાં પાછા મોકલવા માડમે આરોગ્યમંત્રી નીતિન પટેલ ને પાઠવેલ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.