Mysamachar.in-જામનગર
હાલમાં કોરોના વાયરસને લઈને સમગ્ર દેશ સહીત રાજ્યમાં લોકડાઉન છે, ત્યારે જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં થયેલ એક હત્યાની કોશિશના ગુન્હાના મામલે પણ પેટ્રોલિંગ વધુ સખ્ત કરવામાં આવ્યું હતું, દરમિયાન ગઈકાલે બપોરના સુમારે આ વિસ્તારમાં વસવાટ કરતો સરફરાજ ઉમરભાઈ સીરમાન નામનો 27 વર્ષીય યુવક પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમ્યાન પોલીસની બીકથી ભાગવા લાગતા સામે આવી રહેલ ટ્રેન સાથે અથડાઈ જતા તેનું રેલ્વેટ્રેક પર જ કમકમાટીભર્યું મોત નીપજતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, અને જોતજોતામાં વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થવા લાગતા વધુ પોલીસફોર્સ ઉતારવાની જરૂર પડી હતી અને એલસીબી એસઓજી સહિતની ટીમો પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને મોડીસાંજે આગેવાનોની મધ્યસ્થીથી સ્થાનિક લોકોને સમજાવી અને મામલો થાળે પાડવામાં પોલીસને સફળ રહી હતી.