Mysamachar.in- જામનગર:
વિરોધપક્ષ મીટીંગ કરે તો તકલીફ ગુજરાતમા જે પાર્ટીનુ શાસન છે, તે પક્ષના શાસકો તો ગમે ત્યા જમાવી દે છે….! તો અધીકારીઓ કંઇ કરી શકતા નથી, જામનગર જિલ્લા પંચાયતના સભાગૃહમાં કોંગ્રેસ દ્વારા એક કાર્યક્રમના લોન્ચીંગ બાદ સભાગૃહના રાજકીય પાર્ટી માટે ઉપયોગના મામલે તત્કાલીન ડીડીઓ દ્વારા બાંધકામ વિભાગના અધિકારીને નોટીસ આપવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી જવા પામી હતી, જે બાબતે ત ત્કાલીન ડીડીઓ પ્રશસ્તિ પરીક દ્વારા સભાગૃહના ઇન્ચાર્જ એવા બાંધકામ વિભાગના અધિકારીને પંચાયતના સભાગૃહના રાજકીય ઉપયોગ મામલે નોટીસ આપવામાં આવતાં રાજકીય વર્તુળમાં ચકચાર મચી ગઇ હતી,
તે સભાગૃહ સિવાય અન્ય એક સભાગૃહ જિલ્લા પંચાયતના ટોપ ફલોર પર આવેલો છે. જેના ઇન્ચાર્જ બાંધકામ વિભાગના અધિકારી હોય છે. તેથી રાજકીય કાર્યક્રમ માટે આ સભાગૃહ ખોલી આપવા માટે તેઓનો ખુલાસો પુછાયો હોવાનું જાણકારો જણાવ્યુ હતુ, ત્યારે મહાપાલીકાથી માંડી હાલારના બંને જિલ્લાની સુધરાઇ પંચાયત વગેરેમા તો રાજ્યમા જે પક્ષની સરકાર છે તે પક્ષના પદાધીકારીઓ ખાનગી મીટીંગો માટે ગમે ત્યારે જમાવી દે છે, તેમને તો કોઇ નોટીસ આપી શકતુ નથી.