Mysamachar.in-જામનગર:
પીજીવીસીએલ જામનગર સર્કલ નિયમિત વીજપુરવઠો આપવામા ધીમે-ધીમે ખુબ ધાંધીયા કરવા લાગ્યુ છે, તેવામા કોને ખબર કેમ ઉપરથી જુદા-જુદા ખર્ચાળ પ્રોજેક્ટ પણ અધકચરા કે હેતુ સર્યા વગરના નાણા બગાડ સમાન અથવા કોઇ ના લાભ માટે જ થઇ રહ્યાનુ ચર્ચાય છે, પ્રથમ કક્ષમા બિરાજતા વામન વિરાટ ખેલ પાડી પોતાનુ ને પોતાના ગાંધીનગર અને સ્થાનિક આકાઓ નુ સાજુ કરી લેતા હોવાની પણ ચર્ચા છે એટલુ જ નહિ ઘણા કિસ્સામા તો કોર્પોરેટ ઓફીસને પણ આ વામન બાયપાસ કરી છે……ક ઉપર પહોંચી જાય છે તેમ પણ જાણકારો કહે છે.
તેવા અનેક દાખલાઓ જે ખોટા ખર્ચના છે તેમાંનો વધુ એક જોઇએ તો લોકોને પશુને બાળકોને શોક ન લાગે વીજ થાંભલાઓથી એટલે અર્થિંગ યોજના l.t. લાઇન માટે અમલમા મુકી જેમા પ્રથમ તો જામનગર અને ખંભાળીયામા મળી આવા થાંભલા અને લગત રેસીડન્ટ સાથે જોડાણ કરવાના ૭૫૦૦૦ સ્થળ નક્કી કરી કામ કરવાના છે જેમા એકનો ૫૦૦ ખર્ચ થાય છે એટલે કે ચુકવાય છે જે પણ બમણો છે એ તો ઠીક પરંતુ અર્થીંગના ઠુંગા તો બહાર દેખાય છે, અને નાણા ચુકવાય ગયા હવે તે જમીનમા કોણ નાંખશે? માટે અર્થીંગનો મતલબ સરતો જ નથી ને નાણા ચુકવાયા તેમા વામનને એજન્સી સાથે લગત કશુક છે અને એક કાર્યપાલકે પણ વધુ રૂચી લીધી છે તેમ જાણકાર સુત્રોનો આક્ષેપ છે , વળીમીઠુ તાંબુ વગેરે જુની પદ્ધતિ મુજબ બધુ કોણ કરશે? સો ટકા કામ થયુ નથી અને રૂપિયા પોણા ચાર કરોડ વેડફ્યા એ કોના લાભાર્થે ? તેમ ચકચાર સાથે ના સવાલ છે.