Mysamachar.in-જામનગર:
નાણા આપીને વીજસેવા લેતા વીજગ્રાહકોને નિયમિત વીજપુરવઠો મળે તે ગ્રાહક અધિકારની બાબત છે, પરંતુ હવે ઘણા ગ્રાહકોએ ગ્રાહક કોર્ટમાં જંગ છેડવો પડે તેવી સ્થિતિ સર્જાય છે, તેના માટે માત્ર સસ્તી પ્રસિદ્ધિમાં થી બહાર આવી ને જાગૃત સંસ્થાઓ અને નાગરિકોએ પણ આગળ આવવાવની જરૂર છે, બીજી તરફ ફોલ્ટ સેન્ટરોમા ફોન કોઇ ઉપાડે નહી અથવા અવિરત એંગેજ જ આવે માટે ફરીયાદ પણ ન નોંધાવી શકાય જો ક્યારેક ફોન લાગી જાય તો યોગ્ય જવાબ પણ દર વખતે મળતો નથી… આ ફરિયાદો છેક જિલ્લા કક્ષાની વહીવટી તંત્રની મીટીંગમા પહોંચી અને સુપ્રિન્ટેન્ડન્ટ ને તાકીદ કરાઇ છે કે આવી બાબતોને ગંભીરતાથી લેવી પરંતુ તંત્ર સુધરવાનુ નામ લે તો ને? જોડીયા થી ઓખા સુધી આ પ્રશ્ર્ન અનેક લોકોને સતાવે છે પરંતુ કાયમી નિરાકરણ જ નથી આવતુ…
માટે જ લોકો પુછે છે કે આવશ્યક સેવામા બેદરકારી રખાય છે તો ગ્રાહકો પૈસા શેના ભરે છે? અને ગ્રાહકો કોર્ટમા જઇ શકે છે જો પીજીવીસીએલ તમારા પર કેસ કરે તો તમેય કરો તેવા સલાહ સુચન માર્ગદર્શન અમુક નિષ્ણાંતો આપતા હોય છે, જો કે કલેક્ટરની તાકીદ છતા ફોલ્ટ સેન્ટરના ફોન કેમ ન લાગે? તે સવાલ ઉભો જ છે ઉપરથી સુચના પણ અપાઇ છે કે મોનીટરીંગ કરો ગ્રાહકો થાકી જાય તો ય ફોન ન લાગે અમુક વિસ્તારમા તો જાણે લાઇટ આવે ઇ સમાચાર છે, વગેરેની અધીક્ષકને તાકીદ કરી દર બે કલાકે મોનિટરીંગ થવુ જોઇએ તેવી સુચના અપાઇ છે,પણ અધિક્ષક પણ થાકી ગયાના સમાચારો મળી રહ્યા છે.કારણ કે બે અધિકારીઓ જ વહીવટ ચલાવે છે. બીજી તરફ જાણકારોના અભિપ્રાય છે કે વર્ગ ૨ અને ૩ માંટે બદલીની લીમિટ ન હોઇ કોઇ ડરતુ નથી અને જેમ જુના થાય તેમ સ્ટાફ પેધી જતા હોય ગ્રાહકોની જુદી જુદી સમશ્યાઓ એમને એમ રહે છે અને કામ કરવામા ઢીલાશ વધુ રહે છે.