Mysamachar.in-જામનગર:
સરકારે દરિયાઇ ખારાશ અટકાવવા ક્ષારઅંકુશ વિભાગ કાર્યરત કરી અઢળક બજેટ ફાળવ્યુ છે, પરંતુ માત્ર નાણાનો બગાડ કરતા આ તંત્રને કોઇ પુછતુ નથી અને એ.જી. ના ઓડીટને તેમજ કેગના રિપોર્ટને પણ આ વિભાગ ગાંઠતુ ય નથી, તેમા્ સંત્રીથી માંડી મંત્રી સુધીનાઓની કોઇ સમૃદ્ધ કારણસર શિથિલતા જોવા મળે છે, હાલારમા જોડીયા,આમરણ, પંથક મીઠાપુર દ્વારકા પંથક નાગના અને બેડ પંથકમા આ તંત્રની બેદરકારી અને કામ નક્કર ન કરવાની દાનત તેમજ ખોટા ખર્ચાથી નાણા વ્યય અને ખારાશ અટકતી ન હોવાની સમસ્યા ઘેરી વળી હોય જાગૃત નાગરિકો આ વિભાગ ઉપર વિગત માંગવાનુ હલ્લાબોલ કરે તો નવાઇ નહી, આ વિભાગ કેવી રીતે નાણા ધુળધાણી કરે છે તેની રોચક વિગતો પણ અમુક જાણકારો ધરાવે છે, જે સમય આવ્યે આ બાબતે ધડાકો કરવાનો મોકો શોધતા હોવાનુ પણ સુત્રોમાંથી જાણવા મળે છે, બેડ બંધારા સિવાય કોઇ કામ નોંધ લેવાય તેવુ છેલ્લા બે દાયકામા થયુ નહી આ કામ થયુ એ પણ નબળુ થયુ અને ત્યારબાદના પણ અનેક કામોના તો સાગરકાંઠે અવશેષ પણ મળતા નથી.
-વીજીલન્સ તપાસની જરૂર
નગરોમા ખેતીની જમીનમા પાણીના તળમા દરિયાઇ ખારાશ આગળ ધપતી અટકાવવા પાળા કેનાલ બંધ દિવાલ અને રક્ષણાત્મક સ્થાયી અસ્થાયી સુવિધાઓ આ વિભાગે અવિરત કરવાની છે તેના કાર્યપાલકની અહી કચેરી છે પરંતુ સરકારી રિપોર્ટ મુજબ કાંઠાળી જમીનમા તો ખારાશ વધી તો અબજો રૂપિયાના ખર્ચ ક્યા ગયા તેની વીજીલન્સ તપાસ થવી જોઇએ.
-ધુંવાવ થી જોડીયા કામ પુરૂ જ નથી થતુ..
ધુંવાવથી જોડીયા સુધી ક્ષાર અંકુશ નુ કામ ખુટતુ જ નથી કેનાલોના કામ બાકી છે ખારાશ આગળ પ્રસરતી જાય છે જેમા ખીરી કુન્નડ વગેરે ગામના કામો અધ્ધર તાલ છે તો ડેમી નદી પાસે કામ થતુ નથી પાળા તુટી રહ્યા છે, મહિનાઓ સુધી લાઇનો રિપેર થતી નથી તો ક્ષાર અંકુશ કરે છે શું?તેમ લોકો ચિંતા સાથે પુછે છે.
-સાડાત્રણસો કિલોમીટરમાં થી વસવાટી દરિયાઇ વિસ્તારની હાલત અબજોના ખર્ચ બાદ પણ ખરાબ
ક્ષાર અંકુશ નાણા ખર્ચે છે ટેન્ડર બહાર પાડે છે કામ મંજુર પણ કરે છે છતા ૩૫૫ કી.મી.ના હાલારના દરિયાકાંઠામાંથી ૨૦૦ કિમિ નજીક કા ખેતર કા પાણી સોર્સ કાંતો નાના મોટા ધંધા મોટાભાગની ખેતીઓ અન્ય રહેણાક નાના મોટા કામ ધંધા છે, આ તમામનુ રક્ષણ કરવા અબજો રૂપિયા છેલ્લા બે દાયકામા વપરાયા બાદ પણ સમ ખાવા પુરતુ ય ક્ષાર અંકુશ કેમ ન થયુ તેની તપાસ માંગવાની જરૂર છે.