Mysamachar.in-જામનગર:
સમગ્ર હાલારમા આ વખતના ચોમાસા બાદ લગભગ તમામ રોડ એ બનાવનારની દાનત ને છલકાવી છે તેમાંય માત્ર બે વર્ષમા બનેલા નવા દસ રોડ તો સાવ તુટી ગયા છે કોને ખબર કેમ દાનત જ ખોરા ટોપરા જેવી હશે કે શુ મેઇન સ્ટેટ હાઇવે સિવાયના રોડ ના કામ મા તો ખરેખર નબળા જ કામ થાય છે, જે નીચેથી ઉપર સૌ જાણે જ છે જેથી કરોડોના આંધણ થાય અને સુવિધા કર્યાના ફોક બણગા ફુંકાય તેવો રાજ્ય સરકારના પંચાયત અને સ્ટેટ માર્ગ મકાન વિભાગોના ઘાટ છે, જામનગર જિલ્લામાં બે વર્ષ પહેલા બનેલા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામીણ પ્રજાની સુવિધા માટે બનેલા જામનગર તાલુકાના 10 રોડ, ધ્રોલ તાલુકાના ધ્રોલથી મોટા ઇટાળા, હરિપરથી ગરેડીયા હનુમાન સુધીના રોડ પર માઇનોર બ્રીજ સહિત પાંચ રોડ, લાલપુર તાલુકાના ત્રણ, જામજોધપુર તાલુકાના ચાર રોડ, કાલાવડ તાલુકાના પાંચથી 7 રોડ, જોડિયા તાલુકાના પાંચ રોડ ચોમાસા પહેલા અને ચોમાસામાં વરસાદ પડવાથી ગેરન્ટી પીરીયડવાળા હોવા છતાં તુટી જવાથી સરકારને મોટુ નુકશાન થવા પામ્યુ છે,
અને જામનગર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ સ્ટાફના અભાવે કોન્ટ્રાકટરોને બખ્ખા થઇ જતા આ રોડના કામ પર દેખરેખ રાખવાવાળુ ન હોવાના કારણે, પેવર કામ, સાઇડ પાટલીના કામમાં, હલકી ગુણવતાનો ડામર વાપરવો, ડામરની લહેરમાં ગોટાળા સહિત ઘણી બાબતોમાં બેદરકારી રાખીને નફાના ગાળામાં વધારો કરી નાખતા ગ્રામીણ પ્રજા આ રસ્તાનો ઉપયોગ કરે તે પહેલા જ ટુંકાગાળામાં રોડ તુટી જવાથી પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, અત્રે ઉલ્લેખનીય છે કે, રોડના નબળા કામ થાય તો ધારાસભ્યની જવાબદારી હોય છે કે, પ્રજાના નાણાંનો ખોટો વેડફાટ ન થાય પરંતુ મોટા ભાગે ધારાસભ્ય સામાન્ય રીતે જિલ્લા કક્ષા સુધી ફરિયાદ કરીને સંતોષ માની લેતા હોય છે, નિયમ મુજબ કાલાવડથી માંડીને, જોડિયાના લીબડા રોડ, જામનગરના સુમરી ભલસાણ રોડ, જામનગર તાલુકાના સુવરડા વાળો રોડ વગેરેમાં રોડના કામમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી છે અને આ કામમાં કોન્ટ્રાકટર, ઇજનેરો પર ફોજદારીથી માંડીને ગંભીર ફરિયાદ થાય તેમ છે, છતાં સ્થાનિક આગેવાનોનું મૌન શંકા પ્રેરનારું ચોક્કસ કહી શકાય તેમ છે.
-મલાઇ કોણ તારવી જાય છે તે રોડ નબળા જ બને છે?
જામનગર જિલ્લામાં દર વર્ષે આશરે 1 અબજ જેવું રોડ, રસ્તા, બ્રીજ માટે ફંડ ફાળવવામાં આવે છે અને રોડ મંજુર થાય ત્યારે જશ ખાટવા માટે પ્રયાસ કરવામાં આવે છે અને પ્રજાને મુર્ખ બનાવીને પાછળથી રોડના કામમાં કોણ તગડી મલાઇ મેળવવા માટે કોન્ટ્રાકટર, અધિકારી સાથે સાંઠગાઠ કરીને ગોઠવણ કરી જાય છે તે બહાર આવતુ નથી જો કે વગવાળા જ આવુ કરી લેતા હોવાનું સ્વાભાવિક હોવાનુ જાણકાર વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.