Mysamachar.in-જામનગર:
જામનગરમાં લંઘાવાળના ઢાળીયા પાસે રહેતા હુસેનભાઇ આંબલીયાના ઘરમાંથી બે દિવસ પૂર્વે રૂપિયા 5 લાખની રોકડની ચોરી થવા પામી હતી. આ ચોરીની ઘટના અંગે સીટી બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. કબાટની તિજોરીની ચાવીથી જ તિજોરી ખોલી ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યુ હતું.શરૂઆતથી જ તપાસકર્તા અધિકારી ડી.સ્ટાફ પી.એસ.આઈ.ડી.એસ.વાઢેરને આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની જ આશંકા હતી અને તે દિશામાં જ તપાસ હાથ ધરતા તપાસ નો મોડ સાચી જગ્યા પર પહોચ્યો હતો,
જે તપાસ દરમિયાન ચોક્કસ હકીકત મળી હતી કે આ ચાની હોટલનાં માલિકના કૌટુંબિક ભત્રીજા સરફરાઝ હુસેનભાઇ આંબલિયાએ આચરી છે અને તે હાલ જામનગરથી મુંબઈ જવા નીકળવાની પેરવી કરી રહ્યો છે. જેને લઇને પોલીસે તાત્કાલિક તપાસ કરતા વિક્ટોરિયા પુલ પાસેથી એક ટ્રાવેલ્સને ચેક કરતા આરોપી મળી આવ્યો હતો. અને પોલીસે તેના કબજામાં થી રૂપિયા 5 લાખની રોકડ કબજે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.