Mysamachar.in-જામનગર:
કેટલાક લોકો ગુસ્સામાં ને ગુસ્સામાં ના ભરવાના પગલા સામાન્ય બાબતોમાં ભરી લે છે, જામનગર નજીકના ધુંવાવ ગામે વસવાટ કરતા કિશોરભાઈ બાબુભાઈ આડેસરા નામના 45 વર્ષીય આઘેડ પોતાના ઘર પાસે થોડા દિવસો પૂર્વે શેરીમાં બેઠેલા હતા ત્યારે ગામમાં જ વસવાટ કરતા હેમેન્દ્ર ઉર્ફે હેમંત મહારાજ ડાયાલાલ સાયાણીએ કિશોરભાઈને પેટ થતા છાતીના ભાગે ઢીકાપાટુનો માર મારતા ફેફસામાં ગંભીર ઈજાઓ પહોચાડતા પ્રથમ જામનગર અને ત્યારબાદ અમદાવાદ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડેલા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે અને પંચકોશી એ ડીવીઝન પોલીસે ધુંવાવના હેમેન્દ્ર ઉર્ફે હેમંત મહારાજ વિરુદ્ધ કલમ 302 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.