Mysamachar.in-જામનગર:
તસ્કરો ક્યારેક આવી તસ્કરી કરી કે વિચારતા થઇ જવાય, થોડા દિવસો પૂર્વે જ જામનગરના લાલપુર ગામે ભેંસની ચોરી થયાની ફરિયાદ સામે આવી હતી, ત્યારે હવે જામજોધપુર તાલુકામાં કપાસની ચોરી થયાની ફરિયાદ સામે આવી છે.જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે રહેતા ખેડૂત ભાવેશભાઈ પટેલે જામજોધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તેની માલીકીની ગીંગણી ગામથી માલવડા રોડ ખાતે આવેલ ખેતીની જમીનમાથી કોઇ અજાણ્યા ચોર ઇસમ દ્વારા તેમના ખેતરમાં અપપ્રવેશ કરી ગોડાઉનની બાજુમા રાખેલ કપાસની કુલ-30 ભારીમા આશરે 75 મણ કપાસ જે એક મણ કપાસની કી.રૂ.આશરે 1900 લેખે કુલ- 1,42,500 ના કપાસની ચોરી ગયા સબબની ફરિયાદ નોંધાઈ છે.