Mysamachar.in-જામનગર
આજે લોકડાઉનનો ૨૦ મો દિવસ છે, ત્યારે લોકો કોઈ ને કોઈ બહાના અને ગતકડાઓ શોધી બહાર નીકળે છે, ત્યારે ગતસાંજે શહેરના પંચવટી સર્કલ નજીક બંદોબસ્તમાં રહેલા પોલીસને શંકા જતા તેવોએ એસ્ટાકાર ને રોકી અંદર બેસેલા બે શખ્સો હનીફ હબીબ જામ અને અજરુંદિન ઈબ્રાહીમ ચૌહાણને પૂછપરછ કરતા તેવોએ બંદોબસ્તમાં રહેલા માણસો સાથે ઘર્ષણ કર્યું હતું, પોલીસ તપાસમાં સામે આવ્યું કે જે કારમાં બને નીકળ્યા તે કારનો મુક્તિ પાસ આમદભાઈ જેડાના નામનો હોવાનો સામે આવ્યું હતું, આમ પોતાના ખોટો પાસ ચોટાડી બિનજરૂરી આટાફેરા કરતા હોય અને પોલીસની ફરજમાં રુકાવટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાયાનું સામે આવ્યું છે.