Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામા આજે સબંધોની હત્યાના બીજો કિસ્સો સામે આવ્યો છે, ધ્રોલના મોટા વાગુદળ ગામે પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતર્યાના બનાવને હજુ તો કલાકો માંડ થયા છે, ત્યાં જ જામનગર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં પત્નીને ગળેટૂંપો આપી અને પતિએ પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવે છે. હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા મોહનભાઈ બેચરભાઈ રાઠોડ નામના 60 વર્ષના વૃદ્ધા તેમની પત્ની રામીબેન રાઠોડ સાથે વસવાટ કરતા હતા, બને વચ્ચે ગૃહકંકાશ ચાલતો હોય તેવામાં ગતરાત્રીના સમયે મોહનભાઈએ પત્ની રામીબેનને દોરીવડે ગળેટૂંપો આપી અને બાદમાં પોતે પણ ઘરમાં આવેલ ઓરડીમાં પંખા સાથે ટીંગાઈ જઈને આત્મહત્યા કરી લીધાનો બનાવ છેક સવારે સામે આવતા સીટી સી ડીવીઝન પી.આઈ.એમ.જે.જલુ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી જઈને વિધિવત તપાસ આરંભી છે.