Mysamachar.in-ગુજરાત:
તાજેતરમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં વારંવાર આવ્યા. તેઓ વધુ એક વખત આવતાં સપ્તાહે ગુજરાતની મુલાકાત લ્યે, એવું બની શકે છે. તેઓ નવી સરકારનાં શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેશે ?! એવો પણ પ્રશ્ન આ તકે પૂછાઈ રહ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય સાથે સંકળાયેલા સૂત્રોનાં હવાલાથી એવું ચર્ચાઈ રહ્યું છે કે, આગામી 14 તથા 15 ડિસેમ્બરે વડાપ્રધાન ગુજરાતમાં હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ અમદાવાદમાં એક મહિના માટે યોજાઈ રહેલાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનાં ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે.
BJP સાથે સંકળાયેલા સૂત્રો એમ જણાવી રહ્યા છે કે, રાજ્યમાં BJP નવી સરકાર રચવા જઈ રહી છે. આ શપથવિધિ સમારોહમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે અને પ્રદેશ ભાજપાને માર્ગદર્શન આપશે. જો કે, ભાજપાની સરકારની રચના થાય તો સ્વાભાવિક છે કે, પ્રધાનમંડળ વડાપ્રધાનની પસંદગીના જ હશે.જો અને તો પ્રકારની આ તમામ સંભાવનાઓ જો યથાર્થ પૂરવાર થશે તો, આવતાં સપ્તાહે તો રાજ્યમાં નવી સરકાર પણ રચાઈ જશે, નવાં વર્ષનાં પ્રારંભ પહેલાં જ ! ઝડપનું બીજું નામ જાદુ ??!!