• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Wednesday, May 14, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

વફાદારીમાં અવ્વલ અને સતત કાર્યશીલ યુવા નેતા છે ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી

My Samachar by My Samachar
November 24, 2022
in રાજકારણ
Reading Time: 1 min read
A A
વફાદારીમાં અવ્વલ અને સતત કાર્યશીલ યુવા નેતા છે ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

એક ઉમેદવારને લોકો ક્યારે ચૂંટે કે જયારે તેની પાસે અનુભવોનું ભાથું હોય પક્ષ અને લોકો પ્રત્યેની ફરજનિષ્ઠા અને ઈમાનદારી હોય એવા ઉમેદવાર જયારે પક્ષ દ્વારા પસંદગી પામે ત્યારે લોકો પણ તેને વધાવી લેતા હોય છે આવા જ એક ઉમેદવાર એટલે જામનગર દક્ષીણ બેઠકના ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરી…આ નામ જામનગર શહેરના લોકો માટે જરા પણ અજાણ્યું નથી કારણ કે ત્રણ ટર્મ તરીકે કોર્પોરેટર તરીકે રહી લોકસેવાના પ્રહરી બનનાર દિવ્યેશ અકબરી નામના હીરાની પરખ મોદી અને શાહની જોડીએ કરી અને દિવ્યેશ અકબરીને મેદાને ઉતારવામાં આવ્યા છે અને ચોમેરથી અત્યારથી જ તેમને જે લોક પ્રતિસાદ મળે છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે અકબરી જંગી લીડથી વિજેતા બનશે…

આજના રાજકારણમાં ‘વફાદારી’ એક એવું મહત્વનું પાસું છે જેનાથી ઇતિહાસ પલટાઈ જતાં હોય છે. આઘાતજનક રીતે એ પણ સત્ય છે કે, રાજકારણમાં વફાદારીનું પ્રમાણ ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. આજનો નેતા કાલે શું કરશે? તેની કોઈને ખબર નથી ત્યારે આ પરિપ્રેક્ષ્યમાં જામનગર (દક્ષિણ) વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના યુવા ઉમેદવાર દિવ્યેશભાઈ ૨ણછોડભાઈ અકબરીની રાજકીય સફર પર નજર કરીએ છીએ તો એવું જોવા મળે છે કે, આ યુવા પાટીદાર ચહેરો ભાજપ માટે તો નખશીખ વફાદાર તરીકેની ભૂમિકા ભજવવામાં સફળ થયો છે. સાથે-સાથે પોતાના વિસ્તારના મતદાતા અર્થાત પ્રજા માટે પણ એમનામાં વફાદારી ઠાંસીને જોવા મળી રહી છે.

જામજોધપુર તાલુકાના ભોજામેડી ગામમાં એમનો જન્મ થયો હતો, ત્યારે પિતા ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં, એમનું મૂળ ગામ લાલપુર તાલુકાનું ખેંગારપુર ગામ છે, પ્રભુલાલ સંઘરાજ શાહ શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. આ પછી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં ઉચ્ચત્તર માધ્યમિક મેળવ્યું ત્યારબાદ ન્યુ સ્કૂલ અને આ પછી વી.એમ. મહેતા (પંચવટી) કૉલેજમાં બી.કોમ. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો, ખેતી ઉપરાંત એમના પિતા ગ્રેઇન માર્કેટમાં વેપાર પણ કરતાં હતાં અને આ પછી 1989માં બ્રાસપાર્ટ્સના ધંધા સાથે જોડાયા હતાં.અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ દિવ્યેશભાઈ અકબરી પિતાના વ્યવસાયમાં જોડાયાં હતાં અને બીજી તરફ 1995 માં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે જોડાઈને રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.

પક્ષ દ્વારા એમની સ્વચ્છ છબિ, શૌમ્ય સ્વભાવ અને બધાંને એક સાથે જોડવાની નીતિ જોઈને નગરસેવક તરીકે ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી હતી. 2010 માં નગરસેવક તરીકે ભાજપમાંથી લડ્યા હતાં અને 5161 મતની લીડથી જીત્યા હતાં. આ પછી બાકીની બે ટર્મમાં ભાજપે એમને રિપિટ કર્યાં હતાં, બીજી વખત લડ્યા ત્યારે લીડ વધીને 7830 પર પહોંચી અને મહાનગર પાલિકાની છેલ્લી ચૂંટણી 2021 માં 9500 ની લીડથી તેઓ જીત્યા હતાં. મતલબ કે લીડમાં સતતને સતત વધારો થયો હતો અને એટલાં માટે જ થયો હતો કે, તેઓ પોતાના વિસ્તારની પ્રજાના ઘર-ઘર સુધી પહોંચી પ્રત્યેક વ્યક્તિના દિલમાં સ્થાન મેળવવામાં સફળ થયાં હતાં.

1995 થી લઈને 2017 ની છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને લોકોના આ વફાદાર નેતાએ પોતાની ભૂમિકા સુપેરે ભજવી હતી, 95 પછીની 6 વિધાનસભામાં ભાજપનો વફાદાર સૈનિક રહ્યાં હતાં. આ ઉપરાંત 1999, 2004, 2009, 2014 અને 2019 ની લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ તરફે રાત-દિવસ કામ કર્યું હતું. 2014 અને 2019માં લોકસભાની ચૂંટણીમાં ૭૯-વિધાનસભા વિસ્તારના સહઈન્ચાર્જ તરીકે તેઓ રહ્યાં હતાં અને આ બન્ને ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આ વિધાનસભા વિસ્તારમાંથી જંગી લીડ પ્રાપ્ત થઇ હતી.

મધ્યમ વર્ગમાં ઉછરીને મોટા થયેલાં દિવ્યેશ અકબરી 1973 થી શ્રીનિવાસ કોલોની, શેરી નં.1, રણજીતનગર રોડ ખાતે આવેલાં પોતાના મકાનમાં આજ દિવસ સુધી રહે છે. સાદગીભર્યું જીવન એમની ઓળખ છે, શિક્ષણ એમની પાસે છે, વફાદારીનું મહત્વ તે સમજ છે, ક્યારે’ય કોઈપણ સંજોગોમાં આમથી તેમ ઠેકા-ઠેકી કરીને પોતાના પક્ષને કોઈદિવસ પીઠ દેખાડી નથી અને ભાજપના જે ઉમેદવાર આવ્યા એમના માટે ભૂતકાળમાં વફાદારીપૂર્વક કામ કર્યું.

યુવા-શિક્ષિત આ પાટીદાર ચહેરો એવો છે જેણે પોતાના વૉર્ડની તમામે તમામ સમસ્યાઓ દૂર કરાવી છે, લોકોને સંતોષ આપ્યો છે, એક સાચા નગરસેવક તરીકેની ભૂમિકા નિભાવી છે તો બીજી તરફ મહામારી કોરોનાકાળમાં પણ એક પણ દિવસ ઘરે નહીં બેસીને એક સાચા નગરસેવક તરીકેની ભૂમિકા અદા કરી છે.

ભયંકર મહામારી ચાલતી હતી ત્યારે માત્ર પોતાના વૉર્ડના જ નહીં કોઈપણ વૉર્ડના અને ગામડાંઓના કોરોનાગ્રસ્ત દર્દીઓને હૉસ્પિટલોમાં દાખલ કરાવવા, ઑકિસજનની અછત વખતે બે મશીન વસાવ્યા હતાં જેથી કરીને લોકોના જીવ બચાવી શકાય, દવાઓનો જથ્થો ઘટે નહીં તેના માટે સતત દોડાદોડી કરી હતી અને આટલું જ નહીં ભયાનક મહામારીમાં અંતિમ સંસ્કારમાં પણ દિવંગતોને કોઈ તકલીફ ન પડે તેના ન માટે દિવ્યેશભાઈ અને એમની ટીમ સતત ખડેપગે રહી હતી.લોકડાઉનના કપરકાળમાં જ્યારે અનાજના સાંસાં પડી ગયાં હતાં એ સમયે પણ પોતાના વૉર્ડ અને 79- જામનગર વિધાનસભા વિસ્તારના લોકો માટે હજારો કીટનું વિતરણ કરાવ્યું હતુંઅને એવી કીટ લોકોને અપાતી હતીજેમાં કોઈ પ્રકારની કમી રહેતી નહીં.

દિવ્યેશ અકબરીની કારકિર્દીથી વાકેફ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ યુવાનને વિધાનસભાની ચૂંટણીમાં તક આપવામાં આવી ત્યારથી જામનગર વિધાનસભા વિસ્તારના મતદાતાઓએ સ્પષ્ટપણે પોતાનું મન આપી દીધું છે અને લોકસંપર્ક દરમિયાન ખુદ આ વિસ્તારના લોકો દિવ્યેશભાઈ અકબરી પ્રત્યે સંવેદના દેખાડી રહ્યાં છે. લોકપ્રતિનિધિ માટેના શું ગુણ હોય છે? એ તમામ પ્રકારની પ્રતિભા આ યુવા ચહેરામાં છે, તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાચા સૈનિક છે, ભારતીય જનતા પાર્ટી પાછળ પોતાનું જીવન લખી દીધું છે, શિક્ષિત છે, પાટીદાર છે, સ્વચ્છ પ્રતિભા છે અને કોઈજાતની કોઈ કમી આ યુવા ચહેરામાં દેખાતી નથી એવી એમની જીવનની પ્રોફાઈલ દર્શાવે છે.

મત વિસ્તારના નાનાથી મોટી દરેક વ્યક્તિ માટે આ ચહેરો ખૂબ જાણીતો છે અને એટલાં માટે જ દિવ્યેશ અકબરી પોતાની લાંબી વફાદારીભરી રાજકીય કારકિર્દીના કારણે જામનગર દક્ષીણ વિસ્તારના મતદાતાઓના એક ઘરના સદસ્ય જેવા હોય એવો અહેસાસ ખૂદ પ્રજાને થઈ રહ્યો છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરના કારખાનેદારો કોર્પો.ના વેરાઓ ભરવા ઈન્કાર કરે છે પણ..

May 14, 2025
ગુજરાતમાં ઘર નોકરથી માંડીને તમામ ખાનગી કર્મચારીઓ માટે, વર્કર ID ફરજિયાત…

ગુજરાતમાં ઘર નોકરથી માંડીને તમામ ખાનગી કર્મચારીઓ માટે, વર્કર ID ફરજિયાત…

May 14, 2025
બિચારા સરકારી અધિકારીઓ : નાસ્તો કે ભોજન ‘પેટભરીને’ આરોગવા ન મળે..!!

બિચારા સરકારી અધિકારીઓ : નાસ્તો કે ભોજન ‘પેટભરીને’ આરોગવા ન મળે..!!

May 14, 2025
ખંભાળિયાના બજાણા ગામે નિર્માણાધીન વીજ ટાવર ધરાશાયી થતા 2 શ્રમિકોના મોત

ખંભાળિયાના બજાણા ગામે નિર્માણાધીન વીજ ટાવર ધરાશાયી થતા 2 શ્રમિકોના મોત

May 14, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરના કારખાનેદારો કોર્પો.ના વેરાઓ ભરવા ઈન્કાર કરે છે પણ..

May 14, 2025
ગુજરાતમાં ઘર નોકરથી માંડીને તમામ ખાનગી કર્મચારીઓ માટે, વર્કર ID ફરજિયાત…

ગુજરાતમાં ઘર નોકરથી માંડીને તમામ ખાનગી કર્મચારીઓ માટે, વર્કર ID ફરજિયાત…

May 14, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®