Mysamachar.in-જામનગર, દેવભૂમિ દ્વારકા:
જામનગર અને દ્વારકા જિલ્લા આમ તો છેવાડાના જિલ્લા છે પરંતુ ઉદ્યોગ ધંધા નોકરી જુદા જુદા જાણીતા સ્થળ વિશેષતા વગેરેને કારણે વિવિધતાસભર આ બંને જિલ્લામાં દરેક વર્ગના લોકો વિવિધતામા એકતાની જેમ સુમેળથી રહે છે, અને પ્રજાજનો રાજકીય ગતિવિધી અને ચુંટણી જેવા માહોલમા સક્રિય થાય જ છે પરંતુ આ વખતે સ્થિતિ કઇક જુદી હોવાનુ સમીક્ષકો જણાવે છે
કેમકે આ વખતે બન્યુ છે એવુ કે હાલારના મતદારો અકળ છે જેથી મુખ્ય હરીફ પક્ષોને આ અકળતા હંફાવશે પરંતુ લોકો કળવા નહી દે માટે જ મુખ્ય રાજકીય પક્ષોની વિમાસણ વધી છે અને ક્યાય કઇ ચુંટણીનો માહોલ જ નથી ઉપરથી લોકો નીરસ છે તેમજ હજુ લોકો ચિંતન કરે છે કે દિલ્હીમા મોદી બરાબર પણ ગુજરાતમા તો….પરિવર્તન કરવુ કે પુનરાવર્તન. ? મતદાન આડે ત્રણ જ અઠવાડીયા છતા લોકોઆ બાબતની ખોલ પાડતા જ નથી…!લે બોલ આ સ્થિતિ કેવી કહેવાય? રાજકીય આગેવાનો તો અકળાય જ ને.?
લોકો એવુ કહે છે કે ગમે તે આવે શુ ફરક પડે? ત્યારે જુદા જુદા રાજકીય પક્ષો પોતાની બાબતો સમજાવવા પાર્ટીઓના બેકઅપ મુજબ ક્યાક ધરાર ક્યાક નબળો ક્યાક મધ્યમ જુજ જગ્યાએ જરા ઉત્સાહ તો ઘણી જગ્યાએ મીટીંગો અને લોકસંપર્કના દાખડા કરે છે પરંતુ હાલ હજુ ય બંને જિલ્લાના લોકો અકળ હોઇ શુ પરીણામો આવશે તે રાજકીય લોકો નક્કી નથી કરી શકતા તેવી સ્થિતિ છે.
એક સમયે ઉમેદવાર આધારીત જન ઉત્સાહ રહેતો તેના ઉપર મદાર રહેતો કેમકે લોકો માટે તો ઉમેદવાર જ ઓળખાણ છે(પક્ષના નેતાઓને લોકો ન પણ ઓળખતા હોય તેવુ બને છે) પરંતુ હવે રાજકીય પક્ષો લોકોના વ્યાપક સમર્થનના સચોટ સર્વે ઉપર નહી પરંતુ પક્ષના ધારાધોરણ ગમા અણગમા મુરતીયાની ઉપયોગીતા લોબીંગ બીજા અનેક ગણીત વગેરે ઉપર ઉમેદવાર નક્કી કરી પ્રજા ઉપર થોપી દે છે તો પ્રજા હવે તો પરીપક્વ થઈ ગયા છે કે પક્ષોના ફાયદા માટે કે નુકસાન માટે હાથો શુ કામ બને?
માટે આ વખતે આ જીતશે જ….!! વોટશેર….!! આ લોકપ્રિય છે….!!! આ ને ઘણા કામ કર્યા છે…! આ લોકોની વચ્ચે રહ્યા છે.! આ કેપેબલ છે..!! વગેરે વગેરે જેમના માટે કહેવાતુ હોય કે ગાણા ગવાતા હોય પરંતુ લોકો અકળ હોય આ દરેક સુત્રો આ વખતે ઉલટ સુલટ થવાના હોય તેવા અંદાજ સમીક્ષકોએ કર્યા છે હવે રાજકીય પક્ષો ખરેખર ઝીક જિલીને આ અકળતા કળી ને જો લોકોને વિશ્વાસ અપાવવામા(આંબા આંબલી બતાવવામા….એમ પણ કહેવાય) સફળ ન રહે તો થયુ…બધા ગણીત (સપના પણ કહેવાય) ઉંધા પડશે તેટલી મુસીબત ભરી સ્થિતિ મુખ્ય હરીફ પક્ષો તેમજ બીજા જે કોઇ પરચુરણ પક્ષો આવે તે દરેક માટે છે તેમ પણ બૌદ્ધિકો પણ વિચારતા વિચારતા કહે છે કે હવે રાજકીય પક્ષોએ હાંફી જાય એટલુ દોડવુ પડે અને છતાય પુરે પુરૂ તો લોકોનુ મન કળી જ નહી શકાય તેવો હાલ તો માહોલ છે પછી શુ થાય તે જોવાનુ છે કેમકે પ્રજા જ ખરેખર રાજા છે.