Mysamachar.in-ગાંધીનગર
વિજય રૂપાણીના રાજીનામા બાદ પહેલીવાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનુ નિવેદન સામે આવ્યુ છે, નીતિન પટેલ બોલ્યા કે મુખ્યમંત્રીનો ચહેરો અનુભવી હોવો જોઈએ મીડિયાના પ્રશ્નના જવાબમાં પોતાની પસંદગી થશે કે નહિ તે અંગે જવાબ આપવાનું નીતિન પટેલે ટાળ્યુ હતું. તેમણે કહ્યું કે, ગુજરાતની જનતા સ્વીકારી શકે, અનુભવી હોય, ચહેરો જાણીતો હોય તેવા નેતાની પસંદગી કરાય છે. નરેન્દ્ર મોદીના વારસાને આગળ વધારવાનુ કામ છે. આ કોઈ માત્ર સ્થાન પૂરવાની કાર્યવાહી નથી. દરેક લોકો મુખ્યમંત્રી નામ પર અનુમાન કરે છે. પણ રાષ્ટ્રીય નેતૃત્વ જે નીર્ણય કરે તેને પાળતા આવ્યા છે. અને માનતા આવ્યા છીએ. તેથી જ ગુજરાત ભાજપનું સંગઠન મોડલ રૂપ છે.
આ કોઈ રેસ નથી કે નામ નોંધાવાનું હોય, ફોર્મ ભરવાનુ હોય… હું 1990 થી લઈને સતત ધારાસભ્ય તરીકે રહ્યો છું. મંત્રીમંડળમાં રહ્યો છું. બધા સાથે હું સંકળાયેલો છું. નિર્ણય કરવાનો અધિકાર પાર્ટીનો છે. વિજય રૂપાણીના રાજીનામાના કારણ વિશે નીતિન પટેલને પૂછવામાં આવેલ પ્રશ્નનનો તેમને જવાબ આપ્યો કે કેમ રાજીનામુ આપ્યુ તે અંગે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી. તેઓ સક્ષમ છે. સંગઠનથી આવેલા કાર્યકરથી લઈને રાષ્ટ્રીય નેતૃત્વમાં પહોંચ્યા છે. તેથી ટિપ્પણી કરવી યોગ્ય નથી.