Mysamachar.in-ગાંધીનગર
ગુજરાતના મુખ્યપ્રધાનપદેથી વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ આજે બપોરે 3 કલાકે મળનારી ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં ગુજરાતના નવા મુખ્યપ્રધાનની જાહેરાત થઇ થશે, તો નવા મુખ્યપ્રધાનની શપથવિધિની સાથે રાજ્યમાં નવુ પ્રધાનમંડળ પણ અસ્તિત્વમાં આવશે. રાજકીયક્ષેત્રને નજીકથી જોનાર વિશ્લેષકો માને છે કે ગુજરાતના નવા પ્રધાનમંડળમાં વર્તમાન કેટલાક પ્રધાનોના ખાતામાં ફેરફાર કરાશે. તો કેટલાક પ્રધાનોના પત્તા કપાઈ પણ શકે છે. આગામી ટૂંકાગાળામાં જ યોજાનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને જ્ઞાતિ અને જાતિના સમિકરણોને આધારે નવા પ્રધાનમંડળમાં કેટલાક નવા સભ્યોને સમાવવામાં આવી શકે છે.
વિજય રૂપાણીના પ્રધાનમંડળમાં રહેલા કેટલાક પ્રધાનોના પત્તા કપાઈ પણ શકે છે. સાથોસાથ વર્તમાન પ્રધાનોને ફાળવેલા ખાતાઓમાં ફેરફાર પણ થવાની પૂરી સંભાવના છે. કેટલાક પ્રધાનોની કામગીરી સંતોષકારક નહોતી જણાઈ. આવા નબળી કામગીરી ધરાવનારા પ્રધાનોને નવા પ્રધાનમંડળમાંથી પડતા મુકાઈ શકે છે. તો ગુજરાતના પ્રદેશ અને ઝોનવાર કેટલાક ફેરફારો કરીને નવા પ્રધાનોને જ્ઞાતિ અને જાતિના સમિકરણોની સાથે પ્રધાનોને સમાવવામાં આવશે.