Mysamachar.in-જામનગર:
જામનગર કોર્પોરેશનની ચુંટણીના ઢોલ વાગ્યા અને અઢી દાયકાથી શહેરની જનતાના ઉમળકાથી સતા ઉપર રહેલા ભારતીય જનતા પક્ષે તેમના જે ઉમેદવાર વોર્ડ નંબર 3 મા આ વખતની ચુંટણી માટે નક્કી કર્યા છે, તેવા સુભાષ જોશી સહિત ચારેય ઉમેદવારોને પ્રચારમા પણ પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે અને વોર્ડ નંબર 3 મા કમળ સોળે કળાએ ખીલશે તેવો માહોલ જોવા મળ્યો છે, કેમકે સુભાષ જોશી જેઓ ગત વખતે આ વિસ્તારના કોર્પોરેટર હતા અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન હતા તેમણે નગરના અગણીત વિકાસ કામો મંજુર કરેલા સાથે-સાથે પોતાના વોર્ડ નંબર 3 મા પણ અનેક સુવિધાઓ કરાવી અને લોકોની સમસ્યાના નિકાલ કરાવ્યા માટે તેમની લોકપ્રિયતા છે તે પ્રચાર દરમ્યાન જોવા મળતી હતી,
ગત વખતના કોર્પોરેટર અલ્કાબા જાડેજા એ સતત લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નોની વાચા આપી છે માટે જ પ્રચારમા તેમને લોકોએ ઉમળકાથી આવકાર આપ્યો તેમના પતિ વિક્રમસિંહ જાડેજા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમા રહી લોકસેવા કરે છે, આમ આ દંપતિનુ વોર્ડ નંબર ત્રણમા અનેરૂ મહત્વ જોવા મળે છે, તો વળી પન્નાબેન રાજેન્દ્રભાઇ કટારીયા( મારફતીયા) જેઓ પાયાના કાર્યકરની જેમ લોકસંપર્કમા માહિર છે લોકોની પડખે અડીખમ થઇને રહે છે પન્નાબેનના મારફતીયા પરિવારનુ પણ એક મુઠી ઉચેરૂ સન્માન છે માટે લોકોએ પ્રચાર વખતે તેમને સારો પ્રતિસાદ આપ્યો છે,
3 નંબરના વોર્ડના ભાજપની આ પેનલના ઉમેદવાર પરાગભાઇ પટેલ યુવાન છે ઉત્સાહી છે અને લોકપ્રિયતામા અગ્રેસર છે અને આ વિસ્તારોમા તેઓ લોકોના સંપર્કમા રહી અવિરત નાના મોટા કામ સહાય મદદ વગેરે જેવી સેવાકીય પ્રવૃતિઓ લોકો માટે કરતા જ આવ્યા છે માટે તેમને પ્રચારમા પોઝીટીવ રિસ્પોન્સ મળી રહ્યો છે, વોર્ડ નંબર 3 ના ભાજપના ચારેય ઉમેદવારોને પ્રચાર વખતે લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, કેમકે લોકસેવાનુ ભાથુ સાથે છે ભાજપની વિકાસની ગતિ પર લોકોને સંતોષ છે હજુય વિકાસ અને સુવિધા વધશે તેની લોકોને ખાત્રી છે માટે આ ચારેય ઉમેદવારોને મળતો ઉમળકાભેરનો પ્રચંડ પ્રતિસાદ એવો છે કે હરિફોનો ક્યાય ચાન્સ જ નથી તેવો માહોલ આ વિસ્તારમાં અત્યારથી જ જોવા મળે છે.
પ્રચાર દરમ્યાન વોર્ડ નંબર ત્રણના ભાજપના આ ચારેય ઉમેદવારોએ જાગૃતિ પત્રિકા વિતરણ કરવાનુ તેમજ ભાજપની રાજ્યસરકારે તેમજ ભાજપની કોર્પોરેશનની સતાએ લોકોના શુ-શું કામ કર્યા તેની વિગત આપે છે ઉપરાંત સમગ્રપણે ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતા પ્રજાલક્ષી વિકાસ કાર્યોથી વધતી જ જાય છે તે દરેક વાસ્તવિક બાબતો લોકો સમક્ષ મુકે છે તેમજ લોકોના અભિપ્રાય અને સુચનો પણ ધ્યાનથી સાંભળી તેને આયોજનમા લેવાની ખાત્રી આપતા હોય પ્રચારનો રંગ જામ્યો છે અને સાથે સાથે લોકોનો પણ આ ચારેય સક્રિય ઉમેદવારોને જોઇને ઉત્સાહ વધતો જ જાય છે,
ગત ટર્મના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સેવાને જ સતાનો મંત્ર બનાવ્યો તેવા સફળ સુભાષ જોશી ગત વખતના કોર્પોરેટર અલ્કાબા જાડેજા આ વિસ્તારના લોકોની પડખે અડીખમ ઉભા રહેતા અને જાગૃત એવા પન્નાબેન રાજેન્દ્રભાઈ કટારીયા (મારફતિયા) અને યુવા ઉત્સાહી લોકપ્રિય એવા પટેલ પરાગભાઈ પટેલ જે ચાર ભાજપના ત્રણ નંબરના વોર્ડના ઉમેદવાર છે જેમનાથી આ વિસ્તારના લોકો સુપેરે પરિચિત છે, તે ચારેયનો પ્રચાર ધમધમાટ જામતો જાય છે.અને લોકોના આશિર્વાદ ઉમેદવારો મેળવવામાં અચૂક સફળ થશે તેવું માહોલ જોતા લાગે છે.