Mysamachar.in-કચ્છ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસોની વાર છે, ત્યારે રાજ્યના બન્ને મુખ્ય પક્ષો ભરપુર તૈયારીઓ અને આક્ષેપો પ્રતિઆક્ષેપોમાં લાગી પડ્યા છે,એવામાં કચ્છના પ્રવાસે આવેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેરમંચ પરથી કેટલાક એવા વિધાનો ઉચાર્યા કે જે ભારે ચર્ચાનું વિષય બન્યા છે, સી.આર.પાટીલે સંબોધન કરતા કહ્યું કે “આ કાઈ કોંગ્રેસ થોડી કે જે પૈસા આપે તેને ટીકીટ આપે… કોંગ્રેસમાં ટીકીટ વહેચાય છે, જયારે ભાજપમાં કાર્યકર્તાઓ તેમના કામના મેરીટના આધારે ટીકીટ મેળવે છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું કે અમારે હવે કોઈને લેવાની જરૂર નથી, અમારા દરવાજા અમે હવે બહારના લોકો માટે બંધ કરી દીધા હોવાનું પણ તેમને મંચ પરથી કહ્યું હતું.