Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા
જેમ-જેમ ચુંટણીઓ નજીક આવશે તેમ પક્ષપલટો કરનારાઓની સંખ્યા પણ વધશે, ભલે કારણ ગમે તે આપે પણ પોતાના અંતરઆત્માથી સાચું કારણ પક્ષપલટો કરનારા જાણતા જ હોય છે, તાજેતરમાં જ વિસાવદરમાં તાલુકા પંચાયતના આગેવાનો, જામનગરમાં બે પૂર્વ કોર્પોરેટરો, ગઈકાલે સિક્કા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિતનાઓ અને રાજકોટમાં યુવા આગેવાનોએ પક્ષ બદલાવ્યા તે ઉપરાંત પણ અનેક દાખલાઓ જાણમા આવ્યા છે ત્યારે જાણકારોના મતે સુધરાઇ પંચાયત કોર્પોરેશનોની ચુંટણી આવી એટલે આ આયારામ ગયારામ મોસમ ખીલી છે તેમજ અમુક ખાનગી બેઠકો વધી હોવાનુ અને આવી બેઠકોમાં આવા ઓપરેશન શરુ થયા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળે છે,
હાલ સમગ્ર રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે કોંગ્રેસના ગઢમા ગાબડા શું આવનારી સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય તરફ કે સતાથી અલગ રાખવા માટે અને સમગ્રપણે ભગવો લહેરાવી ભાજપને જીત અપાવવાનુ આગામી આયોજન થાય છે કે પછી કોંગ્રેસ બમણા જુસ્સાથી પ્રજા રોષનો લાભ લઇ જિલ્લા અને તાલુકા પંચાયતો જાળવવા નવી નિતિથી મેદાનમા છે? જો કે પરિણામ શું તે તો સમય બતાવશે સ્થાનિકે જોઇએ તો જામનગર અને દ્વારકા જિલ્લાના અમુક શહેરો અને અમુક ગ્રામ્ય વિસ્તારોમા હજુ ઘણા તડ જોડ થાય તેવો માહોલ છે અમુક સાવ દેખીતી રીતે પક્ષ ન બદલે તો જ્યા હોય ત્યા નિષ્ક્રિય રહે કે પછી અંદરથી સામા પક્ષે સપોર્ટ કરે ને બહારથી પોતાના પક્ષમા કામ કરવાનો દેખાવ કરે વગેરે અનેક બાબતોના સમીકરણો ગોઠવાય રહ્યા છે.