Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકા પર અઢીદાયકાથી ભાજપનું શાશન અવિરત છે, ત્યારે હવે ચુંટણીઓની જાહેરાત ગમે ત્યારે થઇ શકે છે, ત્યારે સતા મેળવવા માટે સૌ પ્રયાસ કરે તેમ કોંગ્રેસ પણ પ્રયાસોમાં લાગ્યું છે અને તેના ભાગરૂપે આજથી ત્રણ દિવસ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મોકલવામાં આવેલ ત્રણ નિરીક્ષકો રાજુ પરમાર, સૈયદ ખુર્શીદ અને ચંદ્રિકાબેન ચુડાસમા આજથી ત્રણ દિવસ જામનગર ખાતે રોકાઈ અને જનરલ મીટીંગ ઉપરાંત આજે વોર્ડ 1, 2, 12 અને 15 ના દાવેદારોને સાંભળવામાં આવ્યા છે, દાવેદારી કરનારના સંખ્યા તો મોટી થશે પણ તમામ પાસાઓ ચકાસી અને ટીકીટ તો કોઈ એકને જ મળશે તે નિશ્ચિત છે, પણ સતા કબજે કરવા ખરેખર કોંગ્રેસ હવે નવયુવાઓ, શિક્ષિત, લડાયક વગેરેને સ્થાન આપશે કે કેમ તે જોવાનું છે.