• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, May 17, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

મુળુભાઇ કંડોરીયા આ મુદ્દાઓની સાથે જઇ રહ્યા છે પ્રજા વચ્ચે

My Samachar by My Samachar
April 17, 2019
in રાજકારણ
Reading Time: 1 min read
A A
મુળુભાઇ કંડોરીયા આ મુદ્દાઓની સાથે જઇ રહ્યા છે પ્રજા વચ્ચે
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ચૂંટણી આવે ત્યારે પક્ષો અને ઉમેદવારો એકબીજા પર આક્ષોપોનો મારો ચલાવે છે અને ચૂંટણી જીતવા માટે નિતનવા ત્રાગા કરીને છેલ્લીકક્ષા સુધી જઈને મતદારોના દિલ જીતવા માટે પ્રયાસો કરતા હોય છે,જેના ઘણા દાખલા આ લોકસભાની ચૂંટણીમાં સામે આવી રહ્યા છે.ત્યારે જામનગર લોકસભાની ચૂંટણી લડતા કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયા કોઈ પર વ્યક્તિગત આક્ષેપો કર્યા વગર લોકશાહીના આ મહાન પર્વમાં મુદ્દા આધારિત ચૂંટણી લડવાનું મન બનાવીને ભાજપે કરેલી ભૂલો અને આપેલા વચન પૂરા કરી શકી નથી,તેની સામે કોંગ્રેસ શું કરવા માંગે છે એ સહિતના મુદ્દે પોતાના પ્રવાસ દરમિયાન લોકસંપર્કમાં પોતાની વાત રજૂ કરીને તંદુરસ્ત ચૂંટણી હરિફાઈનું મુળુભાઇ કંડોરીયા ઉદાહરણ પૂરું પાડતાની સાથે લોકચાહના મેળવી રહ્યા છે,

કોંગ્રેસના નેતાઓ વર્ષો પહેલા કોઈપણ જાતના વ્યક્તિગત આક્ષેપો વગર પ્રજા સમક્ષ મુદ્દા આધારિત ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરતા હતા અને મૂલ્યનિષ્ઠ રાજનીતિ જોવા મળતી હતી,ત્યારે જામનગર લોકસભાની ચૂંટણી પણ આ વખતે એટલા માટે મહત્વની બની ગઈ છે,કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા કોંગ્રેસની મૂળ વિચારધારા સાથે ચૂંટણી લડતા હોય દેવભૂમિ દ્વારકા જિલ્લાના અને જામનગર જિલ્લાના પોતાના પ્રવાસ દરમિયાન તેમજ જંગી જાહેરસભામાં પણ ખેડૂતોનો પ્રશ્ન રોજગારી શિક્ષણ સહિતના મુદ્દાઓ અને પ્રજાની સમસ્યાઓ અંગે જણાવીને કોંગ્રેસ આવશે તો પ્રજા સુખી થશે અને કોંગ્રેસ આપેલા વચનનો નીભાવશે તેવી ખાતરી આપીને પોતે સાંસદ બનશે તો પ્રજા સાંસદ હશે અને પાંચ વર્ષ સુધી સેવા કરવાની મને તક આપવામાં આવે તો પ્રજાએ આપેલા મતો વેડફાશે નહીં તેઓ વિશ્વાસ આપતા પ્રજામાંથી પણ નવી આશાનું કિરણ જાગ્યું છે અને મુળુભાઇ કંડોરીયાની વાત પર લોકોને વિશ્વાસ બેસી ગયો હોય તેમ ગામેગામ કોંગ્રેસની તરફેણમાં હકારાત્મક અભિગમ સાથે વાતાવરણમાં સુધારા સાથે વધારો થઈ રહ્યો છે,દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા કલ્યાણપુર દ્વારકા ખંભાળિયા ભાણવડ તેમજ જામજોધપુર,કાલાવડ, લતીપર વગેરે સ્થળોએ જંગી જાહેર સભામાં કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાની એક જ વાત હતી કે,ભાજપે ૨૦૧૪માં આપેલા વચનોનો પ્રજાએ હિસાબ માંગવો જોઈએ, તે પ્રજાનો અધિકાર છે અને જો શાસકો હિસાબ ના આપી શકે તો પ્રજાએ નિર્ણય બદલવાનો અધિકાર છે, મુળુભાઇની આ વાતની ધારી એવી અસર પ્રજા પર સીધી જ પડી રહી છે,

દરમિયાન મુળુભાઇ કંડોરીયા તેમના પ્રવાસ દરમિયાન કાર્યકર્તાઓના સંમેલનોમાં પણ જણાવી રહ્યા છે કે, પાકવીમો, ખેડૂતોના અન્ય પ્રશ્નો, મોંઘવારી, બેરોજગારી, વેપારીઓના પ્રશ્ન વગેરે સાથે પ્રચાર કરજો અને કોંગ્રેસનુ સંકલ્પ પત્ર ઘરે-ઘરે પહોંચાડીને પ્રજાને વિશ્વાસ અપાવશો કે તમારી સરકાર આવશે, ગરીબોની ખેડૂતોની, વેપારીઓની, શિક્ષિત બેરોજગાર યુવાનોની સરકાર આવશે,આવો અભિગમ સાથે કોંગ્રેસના કાર્યકરો,આગેવાનો પ્રચારકાર્યમાં આગળ વધતા સફળતા મળી રહી છે અને લોકો આવકાર આપી રહ્યા છે,

મુળુભાઇ કંડોરીયાની હોમ પીચ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારના રોજ જિલ્લા પંચાયતની વાડીનાર, હર્ષદપુર, વડત્રા, ભાડથર, બજાણા બેઠક પર આવતા ૮૦ ગામોના પ્રવાસ દરમિયાન લોકસંપર્ક અને બેઠકોમાં પણ જનસમર્થન મેળવવામાં સફળતા મળી હતી,ત્યારબાદ મંગળવારે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુળુભાઇ કંડોરીયા પોતાના પ્રવાસનો દોર ચાલુ રાખીને રાણ ગામ, જુવાનપર નંદાણા, કલ્યાણપુર, હરીપર, પાનોલી, રાવલ સહિતના ગામોના આગેવાનો સાથે બેઠકો યોજી હતી,આ બેઠકમાં મુળુભાઇ કંડોરીયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ૨૩ વર્ષના શાસનમાં અને કેન્દ્ર સરકારના પાંચ વર્ષના શાસનમાં પ્રજાના પડતર પ્રશ્નોને કોઈ વાચા આપવામાં આવી નથી, કૃષિક્ષેત્રે પણ જોઈએ તેવું કામ થયું નથી એટલે જ ખેડૂતો પરેશાન છે,જેમાં પાકવીમાનો પ્રશ્ન હોય કે વીજળીનો પ્રશ્ન હોય,ખેડૂતના જીવન ધોરણમાં સુધારો થવાના બદલે આજે દુ:ખી છે,

ત્યારે ભાજપને સત્તાના મદમાં અહંકાર આવી ગયો છે અને ગરીબ,મધ્યમવર્ગ,ખેડુતોની પીડા દેખાતી નથી,આથી આવા અહંકાર સામે સત્યનો વિજય થશે તેવા વિશ્વાસ સાથે કોંગ્રેસને સમર્થન આપવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો,તેની સામે ગ્રામજનોએ પણ ટેકો આપીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પનોતા પુત્ર મુળુભાઇ કંડોરીયાને સાંસદ બનાવવા માટે તનતોડ મહેનત કરશે અને જંગી મતદાન કરીને વિજય બનાવશે તેઓ કોલ આપી રહ્યા છે,

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સતત પ્રવાસ કાર્યક્રમ દરમિયાન મુળુભાઇ કંડોરીયાની સાથે વિક્રમભાઈ માડમ, એભાભાઈ કરમુર,મેરામણભાઇ ગોરીયા,લખુભાઇ ગોજીયા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો વગેરે સાથે જોડાઈને ગામેગામ લોકસંપર્ક હાથ ધરીને કોંગ્રેસ તરફ લોકજુવાળ ઊભો કરી રહ્યા છે અને આ વખતે કોંગ્રેસને સફળતા પણ મળી રહી છે.

રાવલ: ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

રાવલ ગામ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન મુરૂભાઈ લખમણભાઇ જમોડ રાવલ નગરપાલિકા સભ્ય, કાના નગા મોઢવાડિયા માજી સરપંચ ચંદ્રાવાડા, લગધીર અરજન મોઢવાડિયા મેર સમાજ અગ્રણી, અર્જન વિરમ ઓડેદરા માજી ઉપપ્રમુખ કલ્યાણપુર તાલુકા, નારણભાઈ કાગડિયા કોળી સમાજ અગ્રણી, જીવાભાઈ કારાવદરા મહેર સમાજ ચંદ્રાવાડા,અરસી નાથા ઓડેદરા મહેર સમાજ ચંદ્રાવાડા, જેસા રામા સરવૈયા કોળી સમાજ અગ્રણી, નાગા કાના મોઢવાડિયા મહેર અગ્રણી ચંદ્રાવાડા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા.

કાલાવડમાં આવા પ્રશ્નો પ્રવાસ દરમ્યાન આવ્યા સામે

પાટીદારોના ગઢ એવા જામજોધપુર વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાને જબરું લોકસમર્થન મેળવવામાં ધારી એવી સફળતા મળી છે, ત્યારે પાટીદારોનો બીજો સૌથી મોટો ગઢ ગણાતા કાલાવડ તાલુકાના ગામોના શનિવારે મુળુભાઇ કંડોરીયાના પ્રવાસ દરમ્યાન જાહેરસભાઑ આયોજન પણ કરવામાં આવ્યું હતું,જ્યાં લોકો સભા સાંભળવા માટે સ્વયંભૂ ઉમટી પડ્યા હતા, જેમાં મોંઘવારી, પાકવીમો, સહિતના સામાન્ય જનજીવનને લગતા પ્રશ્નો અંગે કોંગ્રેસના ઉમેદવાર પાસે લોકોએ હૈયાવરાળ ઠાલવીને આ મામલે કઈક કરવામાં આવે તેવી હૈયાવરાળ ઠાલવી હતી.

SendShareTweetShare

Join Us on Social

Recent News

મહિલા તલાટી કમ મંત્રી 1500ની લાંચ લેતા ઝડપાયા  

સૌથી વધુ લાંચિયા પાટનગરમાં : ACBની કાર્યવાહીઓથી રાજ્યમાં ફફડાટ..

May 17, 2025
ખેડુતને તાંત્રીક વિધીથી રૂપિયા બનાવી દેવાની લાલચ આપી 10 લાખની છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને ઝડપી પાડવામાં આવ્યો

સરકારના મિનિસ્ટરના પુત્રની ધરપકડથી રાજ્યમાં સનસનાટી…

May 17, 2025
ચેકિંગ: જામનગરના આ જાણીતા રેસ્ટોરન્ટમાંથી મળી આવ્યો વાસી ખોરાક ખબર છે તમને..? પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ કરવા પર થશે કાર્યવાહી

જામનગરની આરોગ્ય શાખાએ હવે ફૂડશાખાની કામગીરીઓ વેબસાઈટ પર ચડાવવી પડશે..કારણ કે

May 17, 2025
સરકારનો એજન્ડા : ગૌચરની જમીનો વેચી નાંખવા માટે હોય છે

જામનગરના 3 શખ્સોએ ગૌચરની જમીન પચાવી પાડતાં FIR..

May 17, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

મહિલા તલાટી કમ મંત્રી 1500ની લાંચ લેતા ઝડપાયા  

સૌથી વધુ લાંચિયા પાટનગરમાં : ACBની કાર્યવાહીઓથી રાજ્યમાં ફફડાટ..

May 17, 2025
ખેડુતને તાંત્રીક વિધીથી રૂપિયા બનાવી દેવાની લાલચ આપી 10 લાખની છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને ઝડપી પાડવામાં આવ્યો

સરકારના મિનિસ્ટરના પુત્રની ધરપકડથી રાજ્યમાં સનસનાટી…

May 17, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®