Mysamachar.in-બનાસકાંઠા:
કેટલાક લોકોને રેલ્વે ટ્રેક ઓળંગવાની ખુબ ઉતાવળ હોય છે, પણ આવી ભૂલ ક્યારેક મોતનો ભેટો કરાવી શકે તેવો કિસ્સો બનાસકાંઠા જીલ્લાના અમીરગઢના કિડોતર નજીક સામે આવ્યો જ્યાં રેલવે ટ્રેક ઓળંગવા જતા ટ્રેનની અડફેટે દાદા અને બે પૌત્રીઓના કરુણ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે, એક વયોવૃદ્ધ દાદા તેમની 5 વર્ષીય અને 2 વર્ષીય પૌત્રીઓ સાથે રેલવે ટ્રેક ઓળંગવા જતા હતા ત્યારે અચાનક આબુરોડ તરફથી આવતી યોગાનગરી ટ્રેનની અડફેટે આવી ગયા હતા.
ત્રણેય લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. એક સાથે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા કિડોતર ગામમાં શોકનો માહોલ છવાયો છે. રેલ્વે પોલીસ દ્વારા પંચનામું કર્યુ હતું, જેમાં માહિતી અપાઈ કે, 65 વર્ષ દાદા તેમની બે પૌત્રીઓ જેમાં એકની ઉંમર 2 વર્ષ જયારે બીજીની ઉમર 5 વર્ષને લઈને ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.