• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, November 23, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ગુજરાતમાં 365 દિવસમાં 622 વિદ્યાર્થીઓએ જિંદગી ટૂંકાવી લીધી !!

My Samachar by My Samachar
April 19, 2023
in ગુજરાત
Reading Time: 1 min read
A A
ગુજરાતમાં 365 દિવસમાં 622 વિદ્યાર્થીઓએ જિંદગી ટૂંકાવી લીધી !!
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in:ગુજરાત

કોઈ પણ વ્યક્તિની જિંદગીમાં વિદ્યાર્થીકાળ ખૂબ જ અગત્યનો હોય છે. આ સમય માણસની જિંદગીને આકાર અને દિશા આપતો હોય છે. પરંતુ ઘણાં કમનસીબ લોકો પોતાના વિદ્યાર્થીકાળ દરમિયાન કાળનો કોળિયો બની જાય છે ! દિશાશૂન્ય બની જતાં તેઓ આપઘાત કરી લેતાં હોય છે ! ગુજરાતમાં આ પ્રકારની આત્મહત્યાઓનું પ્રમાણ ચિંતાજનક અને ગંભીર છે !! વર્ષ 2021 ની વાત કરીએ તો આ વર્ષમાં ગુજરાતમાં 622 વિદ્યાર્થીઓએ આપઘાત કરી લીધો હતો ! જો કે તેઓનાં આપઘાત પાછળનાં કારણો ઘણાં બધાં અને અલગ અલગ હોય છે. પરંતુ વિદ્યાર્થીકાળમાં, જિંદગીની શરૂઆતમાં આપઘાત એક ગંભીર સમસ્યા બની રહી છે.

NCRBનાં એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં પાછલાં પાંચ વર્ષ દરમિયાન કુલ 3,002 છાત્રો તથા છાત્રાઓએ જિંદગી ટૂંકાવી લીધી. એવું નથી કે, માત્ર શાળા કે કોલેજના વિદ્યાર્થીઓ આપઘાત કરે છે. IIT તથા મેડિકલ કોલેજ જેવી પ્રીમિયર શૈક્ષણિક સંસ્થાઓમાં પણ છાત્રો તથા છાત્રાઓ આપઘાત કરતાં હોય છે ! ઘણાં પ્રોફેસરો પણ આપઘાત કરી લેતાં હોય છે ! શિક્ષણની સાથે મજબૂત જિંદગીનાં પાઠો પણ શૈક્ષણિક સંસ્થાઓમાં શરૂ થવા જોઈએ, વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ થવું જોઈએ, એવું પણ ઘણાં જાણકારો માની રહ્યા છે.

આ રિપોર્ટ મુજબ, દેશમાં પાછલાં પાંચ વર્ષ દરમિયાન કુલ 56,013 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી ! ગંભીર બાબત એ છે કે, દર વર્ષે આ પ્રકારની આત્મહત્યાઓનાં કિસ્સાઓ વધતાં જાય છે ! વિદ્યાર્થીઓ વધુ મૂંઝાઈ રહ્યા છે ! બીજી તરફ આપણે એ પણ જાણીએ છીએ કે, ડિગ્રી મેળવી લીધાં પછી પણ, એ શિક્ષિત યુવક અથવા યુવતીને રોજગારી મળી જ જાય એવું નિશ્ચિત પણ નથી હોતું ! બેરોજગારી પણ ચરમસીમાએ છે !

રિપોર્ટ કહે છે : વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓમાં આપઘાતનું વલણ પેદાં થવા પાછળ વિવિધ કારણો હોય છે. અભ્યાસનું ભારણ, નાપાસ થવાનો ડર, રોજગારની ઘટતી અને મુશ્કેલ તકો, શૈક્ષણિક સંસ્થાઓનું અયોગ્ય વાતાવરણ, પ્રેમમાં નિષ્ફળતા, ગરીબાઈ, બિમારી, એકલતા, શિક્ષણમાં સ્પર્ધાને કારણે પેદાં થતી નિરાશા જેવા વિવિધ કારણોસર છાત્રો તથા છાત્રાઓ આપઘાત કરી લેતાં હોય છે ! શિક્ષણમાં લાગવગ, ભ્રષ્ટાચાર તથા નાણાંનું જોર અને રેગિંગ જેવી બદીઓ પણ ખાસ્સાં પ્રમાણમાં જોવા મળે છે !

SendShareTweetShare

Join Us on Social

Recent News

કામદારોનું હિત : દેશભરમાં 4 લેબરકોડનો અમલ શરૂ..

કામદારોનું હિત : દેશભરમાં 4 લેબરકોડનો અમલ શરૂ..

November 22, 2025
જામનગર પ્રદૂષણ નિયંત્રણ કચેરીના અધિકારીઓને આ કારણથી ફટકારાયો લાખોનો દંડ…

જામનગરમાં અજાયબી : પ્રદૂષણ ન હોય ત્યાં માપો ! અને, પ્રદૂષણ હોય ત્યાં ‘હરિ વા’લા’ !!

November 22, 2025
જામનગરનો ફ્લાયઓવર: સુરક્ષા અને કાર્યક્ષમતા બાબતે કોઈ ચિંતા કરવાની રહેતી નથી…

જામનગરનો ફ્લાયઓવર: સુરક્ષા અને કાર્યક્ષમતા બાબતે કોઈ ચિંતા કરવાની રહેતી નથી…

November 22, 2025
અમદાવાદના પોલીસકર્મી વિરુદ્ધ ખંભાળિયામાં ફરિયાદ

અમદાવાદના પોલીસકર્મી વિરુદ્ધ ખંભાળિયામાં ફરિયાદ

November 21, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

કામદારોનું હિત : દેશભરમાં 4 લેબરકોડનો અમલ શરૂ..

કામદારોનું હિત : દેશભરમાં 4 લેબરકોડનો અમલ શરૂ..

November 22, 2025
જામનગર પ્રદૂષણ નિયંત્રણ કચેરીના અધિકારીઓને આ કારણથી ફટકારાયો લાખોનો દંડ…

જામનગરમાં અજાયબી : પ્રદૂષણ ન હોય ત્યાં માપો ! અને, પ્રદૂષણ હોય ત્યાં ‘હરિ વા’લા’ !!

November 22, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®