Mysamachar.in-મહીસાગર:
મહીસાગર જીલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે તસ્વીરો જોતા તો સૌ કોઈને એવું જ લાગે કે આ ગંભીર અકસ્માતમાં મોટી જાનહાની થઇ હશે પણ તેવું સદનસીબે થયું નથી અને 4 યુવકોના જીવ બચ્યા છે.મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના ડેગમડાં ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના પુલ પર કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો છે.વિરપુર તાલુકાના વઘાસ ગામના રહેવાસી ચાર યુવકો વઘાસથી લીબડીયા ચોકડી થઈ લુણાવાડા જઈ રહ્યા હતા. જે દરમિયાન ડેગમડાં ગામ પાસે મહી નદીના પુલ પર કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ જેનાથી પુલ પરથી પલટી ખાઈ ગઈ હતી.કારમાં વઘાસ ગામના ચાર લોકો સવાર હતા. જેમાંથી એક યુવકને ઈજાઓ પહોચી છે જ્યારે અન્ય ત્રણ યુવકોને ખાસ કંઈ ઇજા થઇ નથી.જો કે અકસ્માતમાં કાર એવી અથડાઈ કે કારના કેટલાય કટકાઓ રસ્તાઓ પર વિખેરાયેલા જોવા મળ્યા હતા.