Mysamachar.in-ગુજરાત
સમગ્ર રાજ્યમાં હાલ કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. અને તેની સાથે સરકાર અને રાજ્યના આરોગ્યવિભાગની ચિંતા પણ વધી રહી છે, આ સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારના covide19ના ડેસ્કબોર્ડના આંકડા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1379 નવા કેસ નોંધાયા છે, જ્યારે 14 લોકોએ રાજ્યમાં કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ ગુજરાતના ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને તાપી ચાર એવા જિલ્લા છે જેમાં 50થી પણ ઓછા એક્ટિવ કેસ છે. આ ચાર જિલ્લામાં મૃત્યુ આંક પણ બહુ ઓછો છે.
https://gujcovid19.gujarat.gov.in/ રાજ્ય સરકારના covide19ના આ ડેક્સબોર્ડ અનુસાર પોરબંદર જિલ્લામાં હાલ કોરોનાના 23 કેસો એક્ટિવ છે. જ્યારે અત્યાર સુધીમાં ત્યાં 4 લોકોનાં કોરોનાથી મૃત્યુ થયા છે. ડાંગ જિલ્લામાં કોરોનાના 26 કેસો એક્ટિવ છે. જ્યારે અત્યાર સુધીમાં ત્યાં કોરોનાથી એક પણ મૃત્ય નથી. તાપી જિલ્લામાં કોરોનાના 36 કેસો એક્ટિવ છે. જ્યારે અત્યાર સુધીમાં ત્યાં 4 લોકોનાં કોરોનાથી મૃત્ય થયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યારે માત્ર 13 કોરોનાના કેસો એક્ટિવ કેસ છે મોતની સંખ્યા માત્ર 5 છે, ગુજરાતમાં જયારે કોરોનાની સ્થિતિ વણસીને ખૂબ ચિંતાજનક બની છે એવાં સમયમાં આ ચાર જિલ્લાઓમાં કોરોના બાબતે રાજ્ય સરકારને હાશકારો મળી રહ્યો છે.