Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા
હાલના કોરોનાના ભય અને તબક્કાવારના લોકડાઉન વચ્ચે એક તરફ લોકો સામાજીક અને વ્યવહારીક તાલમેલ પુરતો સાધી શકતા નથી ઉપરથી સાંઇઠ ટકાથી વધુ વર્ગ મંદી અને બેરોજગારીમાં એવા સપડાયા છે એ પછડાટ કારમી છે અને તેમાંથી ક્યારે ઉગરી શકાય તે નક્કિ ન હોય લોકો ડામાડોળ એવા થયા છે કે આશ્વાસનો અને મનોચિકિત્સકોની સલાહ પણ બેઅસર રહે તેવી ગંભીર સ્થિતિ સર્જાઇ છે, હાલારની વાત કરીએ તો….
ખેતી-ટ્રાન્સપોર્ટેશન-ખનીજ-ધર્મસ્થાનો આધારીત તેમજ પ્રવાસન આધારીત તેમજ સ્વતંત્ર હોટલ-રેસ્ટોરન્ટ વેપાર ધંધા ઉપરાત શોરૂમથી ઇલેક્ટ્રીકલ અને ઇલેક્ટ્રોનીકલ ક્ષેત્ર સામાન્યથી માંડી હાઇ-ફાઇ ખાણી-પીણી તેમજ મેડીકલ તેમજ એજ્યુકેશન અને ફીટનેસના વિવિધ ટાઇપના તેમજ બ્યુટી અને બીજા પાર્લર સહિતના સેવા ક્ષેત્રો નાના મોટા વેંચાણ ક્ષેત્રો તથા જામનગર શહેરમા કાર્યરત બ્રાસ અને આનુસાંગીક ઉદ્યોગો તેમજ બંને જિલ્લાની મોટી કંપનીઓ ઉપરાંત કન્સ્ટ્રક્શન કારપેન્ટીંગ સલુન સ્ટીચ રીપેરીંગ સહિતના અનેક ક્ષેત્રો ઉપરાંત રીયલ એસ્ટેટ અને જ્વેલરી જેવા મોટા સેક્ટર કમાવવા માટે મુખ્ય સેક્ટર્સ છે,
ઉપરાંત સ્વરોજગારી અને ગૃહ ઉદ્યોગ કે નાના વેપાર ધંધા તેમજ પીણા અને પાન બીડી સહિત અનેક ક્ષેત્રોમાં લોકોનુ જીવન ગુંથાયેલુ રહે છે, તો પોતાના વાહનો ઉપરાત રીક્ષા છકડાથી માંડી હેવી ટ્રક કે ટેન્કરના ધમધમાટથી રોડ ગાજતા રહે અને કન્સ્ટ્રક્શન કે વિવિધ સરકારી ખાનગી દરેક નાના મોટા કોન્ટ્રાક્ટ વગેરેથી એકંદર સામાન્ય થી માંડી ટોચનો વર્ગ સંકળાયેલા રહે છે, અને ઓતપ્રોત રહેતા હોય બીજી બાબતો ઘણીવખત અસર ન પણ કરે તે ઉપરાંત કર્મકાંડ-જ્યોતિષ કથા-પૂજન જેવા ક્ષેત્રનુ ટર્ન ઓવર પણ નોંધપાત્ર રહે છે, તે સહિત આ દરેક મળી નાણા રોટેશન ચાલતુ જ રહે હા નાના મોટા પ્રશ્નો સમસ્યાઓ સરકારી અવરોધો કે માનવસર્જીત વિટંબણાઓ ઉભી થાય પરંતુ ગતિશીલ હોઇએ તો દરેકમાંથી રસ્તા નીકળી શકે છે,
પરંતુ હાલ દરેક ક્ષેત્ર ઠપ્પ જેવા થઇ ગયા છે અને આરોગ્ય ક્ષેત્રનો જ હાલ ધમધમાટ છે, પરંતુ તે પણ સરકાર હસ્તક છે માટે સરકારી વહીવટી કામગીરી સુરક્ષા કામગીરી અને તબીબી ક્ષેત્રમા તેજી છે પરંતુ એ તેજી લોકોને ખાસ કંઇ આર્થિક રોટેશનમા ઉપયોગી નથી, હા જે સપ્લાય ગર્વમેન્ટમા થાય છે તે જુજ નક્કી કરેલા પ્રોડક્શન કે સર્વિસ સેક્ટર પુરતો ફાયદો છે અને અમુક બીજા જુજ સરકારી કામો મંદ ગતિએ ચાલે છે તેમાંથી પણ સામાન્ય સરવાણીઓ ચાલે છે ખાસ મોટો બેનીફીટ નથી,
એ સિવાય તમામ ક્ષેત્રે મંદી હોઇ લોકોના ચહેરા ઉપરથી નૂર જતુ રહ્યુ છે ત્યા સુધી કે ભગવાનના શરણે જવુ હોય તો પણ પ્રતિબંધ છે બીજી તરફ આ અકળામણથી રાહત લેવા હરવુ ફરવુ હોય તો પણ મુશ્કેલી છે તેથી દુખ હળવુ થતુ જ નથી અને ગોંધાઇ રહેવાથી પુરતા ધંધા ઉદ્યોગ ન થવાથી લોકોને એવી કારમી પછડાટ લાગી છે કે તેની કળ વળતા ખાસ્સો સમય લાગશે લોકોની આ લાચારી ભરી સ્થિતિ ઘણા પરિવારોની બે છેડા ભેગા કરવાની મુસીબત અને ઉપરથી રોગચાળાએ માનવજીવન ડામાડોળ કર્યુ હોય સમગ્ર હાલાર હવે….
આ દરેક કેદ અને ભીંસ તેમજ ભય અને આપતિમાંથી કેમ બહાર નીકળાશે તેની ચિંતામાં સુખેથી રહી શકતા નથી અને કોઇ આ માટે સ્પષ્ટ ઉકેલ ન અનુમાન પણ કરી શકે તેમ ન હોઇ આશાના કિરણોને બદલે નિરાશા વધુ છવાયેલી હોવાનુ સામાજીક અભ્યાસ કરતા અને જુદા-જુદા અનેક અભિપ્રાયો મેળવતા તારણ નીકળે છે તેમજ ટોપ ટુ બોટમ ટેન્શનની વેરાયટીએ લોકોને જકડી રાખ્યા છે, જોકે આગામી સમયમા બધુ રાબેતા મુજબ થાય તે દિશામા વિચારણા ચાલે છે જે સંક્રમણ ઉપર આધારીત છે.