Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા દ્વારા એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલને રીનોવેશન દરમિયાન જુના ટાઉનહોલમા જે તે સમયે એટલે કે, વર્ષ 2004માં સીવીલ સ્ટ્રકચરનું કામ પૂર્ણ કરીને નવેસરથી કાર્યરત કરવામા આવેલ. ત્યારબાદ મેજર રીનોવેશન તેમજ જરૂરી એડીશન અલ્ટ્રેશન સીવીલ વર્ક તથા ઈન્ટીરીયર વર્ક, ઈલેક્ટ્રીકલ, લાઈટ અને સાઉન્ડની તમામ આઈટમો નવી ફીટીંગ કરીને કુલ રૂા.7.06 કરોડના ખર્ચે ટાઉનહોલમાં કામો પૂર્ણ થતા આ ટાઉનહોલને તાજેતરમાં ફરી વખત ખુલ્લો મુકવામાં આવ્યો છે,
મળતી માહિતી પ્રમાણે સૌ પ્રથમ ટાઉનહોલનું રીનોવેશન માટે 4 કરોડ જેટલો ખર્ચ થવાનો હતો જોકે, ત્યારબાદ હાલ 7.6 કરોડ જેટલો ખર્ચ ટાઉનહોલના રીનોવેશનમાં કરવામાં આવ્યો છે તે બાબતે સીટી એન્જિનિયર ભાવેશ જાનીએ વિગતવાર માહિતી આપતા કહ્યું કે જે તે સમયે ટાઉનહોલ રીનોવેશનની પ્રોજેક્ટ કોસ્ટ 7 કરોડ આસપાસ હતી પરંતુ તે સમયે નાણાકીય વ્યવસ્થા ના હોવાના કારણે 4 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, તેવોએ વધુમાં અલગ અલગ કામો અંગેનું વિવરણ કરીને વિગત આપતા જણાવ્યું કે ટાઉનહોલ રીનોવેશન કામગીરી દરમિયાન સીવીલ વર્ક માટે રૂા.3.10 કરોડ, ઈન્ટીરીયર વર્ક માટે રૂા. 2.10 કરોડ, લાઈટીંગ તથા સાઉન્ડ સિસ્ટમ રૂા. 1.86 કરોડ મળી GST સહીત કુલ રૂા. 7.06 કરોડના કામો ટાઉનહોલ રીનોવેશન દરમિયાન કરવામાં આવ્યા છે.
