• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Wednesday, July 9, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના 2 કર્મચારીઓની બદલીઓ:કથિત કૌભાંડની તપાસ શરૂ…

મહિલા પ્રાચાર્ય એમ જણાવે છે કે, આ બદલીઓ વહીવટી સરળતા માટે કરવામાં આવેલી રૂટિન બદલીઓ...

My Samachar by My Samachar
November 13, 2024
in જામનગર, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના 2 કર્મચારીઓની બદલીઓ:કથિત કૌભાંડની તપાસ શરૂ…
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર:

જામનગરના દરેડ વિસ્તારમાં આવેલાં અને રાજ્યની GCERT સંચાલિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના બે લેક્ચરરની તાજેતરમાં બદલીઓ કરવામાં આવી છે અને આ બંને લેક્ચરરને છેક મધ્ય ગુજરાતમાં લઈ જવામાં આવ્યા છે. આ બદલીઓ અંગે કેટલાંક તર્કવિતર્ક વહેતા થઈ રહ્યા છે અને બદલીઓ પાછળ કોઈ ગંભીર કારણ હોવાની પણ ચર્ચાઓ છે. જો કે, સત્તાવાર રીતે આ બદલીઓને રૂટિન લેખાવવામાં આવી છે. પરંતુ ગાંધીનગરનો અહેવાલ જણાવે છે કે, આ કથિત કૌભાંડની તપાસ શરૂ થઈ ગઈ છે અને તેમાં કોઈ પણ કસૂરવાર જણાયે તેમના વિરુદ્ધ એકશન લેવામાં આવશે.

જામનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના બે લેક્ચરરની તાજેતરમાં બદલીઓ થઈ છે. Mysamachar.in સાથેની વાતચીતમાં ભવનના પ્રાચાર્ય પ્રફુલ્લાબા જાડેજાએ જણાવ્યું છે કે, ભવનના બે લેક્ચરરની બદલીઓ મધ્ય ગુજરાતના આણંદ ખાતે કરવામાં આવી છે. આ બદલીઓ વહીવટી સરળતા માટે કરવામાં આવી છે. જે જિલ્લાઓમાં સ્ટાફમાં ઘટ હોય ત્યાં સરભર માટે આ રીતે GCERT દ્વારા સમયાંતરે રૂટિન બદલીઓ થતી રહેતી હોય છે.

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સાથે સંકળાયેલા સૂત્રો દ્વારા બિનસતાવાર રીતે જાણવા મળે છે કે, આ બદલીઓ પાછળ કોઈ મોટું કારણ જવાબદાર હોય શકે છે. અને તેના માટે ગાંધીનગરથી તપાસ ચાલી રહી છે કહેવાય છે કે ભવનમાં સરકાર તરફથી વિવિધ પ્રકારની ગ્રાન્ટના નાણાં આવતા હોય છે. આ નાણાં પૈકી અમુક નાણાંના હિસાબમાં ચોક્કસ પ્રકારની અનિયમિતતાઓ આચરવામાં આવી હોવાનું પણ કહેવાય છે. આ આખો મામલો ગંભીર બની ગયા બાદ ગાંધીનગરથી બદલીઓના ઓર્ડર છૂટ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે,  જો કે આ અનિયમિતતાઓ જો આચરવામાં આવી છે તો કોના દ્વારા થઈ છે અને આ અનિયમિતતાઓ પછી કેવી રીતે સુલટાવવામાં આવી, તે અંગેની વિગતો હજુ સુધી બહાર આવી નથી.તે સમગ્ર બાબતો તપાસ અહેવાલ બાદ સ્પષ્ટ થઇ જશે.

-GCERT(ગાંધીનગર)ના સચિવ એસ.જે..ડુમરાળિયાએ કહ્યું કે…

Mysamachar.in દ્વારા આજે આ મામલે GCERT(ગાંધીનગર)ના સચિવ એસ.જે..ડુમરાળિયા સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે. એમના કહેવા અનુસાર, આ સરકારી નાણાં ગરીબ લોકો માટેના છે, આથી જો તપાસ દરમિયાન કોઈ કસૂરવાર જણાય આવશે તો કસૂરવાર વિરુદ્ધ યોગ્ય એકશન લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, GCERT સચિવના માર્ગદર્શન મુજબ, જામનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આ કથિત કૌભાંડની તપાસ ચાલી રહી છે. અને આગામી નજીકના સમયમાં આ તપાસ રિપોર્ટના આધારે કસૂરવારો પર ગાજ વરસશે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, આ ભવનને સરકાર તરફથી મળતી ગ્રાન્ટના નાણાંમાં કોઈ હેરાફેરી થયાની વ્યાપક ચર્ચાઓ છે. આગામી સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હાલ આ સંબંધે બે લેક્ચરર પૈકી એકની આણંદ અને એકની છોટાઉદેપુર ખાતે બદલીઓ કરી નાંખવામાં આવી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ડીજીટલ એરેસ્ટ,કઈ રીતે 13 લાખ ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા વાંચો  

સાયબર ક્રાઈમ : જામનગરના ગણેશ ઠાકરેના રૂ. 27 લાખ ‘ભૂત’ !!

July 8, 2025
સૌરાષ્ટ્રની 400 જેટલી ખાનગી શાળાઓની ફી નક્કી કરવાનું કામ અટક્યું, કારણ કે…

ગતિશીલ સરકાર: ખાનગી શાળાઓમાં ફી ‘લૂંટ’નો પરવાનો ?!

July 8, 2025
જામનગરના નાઘેડીમાં ‘મોટા’ સરકારી ખરાબામાં તંત્ર દ્વારા ઓપરેશન

જામનગરના નાઘેડીમાં ‘મોટા’ સરકારી ખરાબામાં તંત્ર દ્વારા ઓપરેશન

July 8, 2025
ઓહગોડ:પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી તસ્કરો કળા કરી ગયા

ખંભાળિયામાં શ્રમિક પ્રૌઢાના રહેણાંક મકાનમાં ઘરફોડી: તસ્કરો 6.24 લાખની મતા ઉસેડી ગયા

July 8, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ડીજીટલ એરેસ્ટ,કઈ રીતે 13 લાખ ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા વાંચો  

સાયબર ક્રાઈમ : જામનગરના ગણેશ ઠાકરેના રૂ. 27 લાખ ‘ભૂત’ !!

July 8, 2025
સૌરાષ્ટ્રની 400 જેટલી ખાનગી શાળાઓની ફી નક્કી કરવાનું કામ અટક્યું, કારણ કે…

ગતિશીલ સરકાર: ખાનગી શાળાઓમાં ફી ‘લૂંટ’નો પરવાનો ?!

July 8, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®