Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લા વહીવટીતંત્રના અથાગ પ્રયાસો અને લોકોની જાગૃતતાથી અત્યારસુધીમાં માત્ર એક જ કેસ કોરોના પોજીટીવનો નોંધાયો છે, અને વધુ કેસો સામે આવે નહિ તે માટે તંત્ર પણ પુરતી તકેદારી રાખી રહ્યું છે, અને હાલમાં રાજ્યસરકારની સુચના અનુસાર કોઈ પણ વ્યક્તિ એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં પ્રવેશી કરી શકતી નથી, છતાં પણ કેટલાક લોકો જ્યાં કોરોના વાયરસના વધુ પોજીટીવ કેસો છે તેવા વિસ્તારોમાંથી જામનગર માં ચોરી છુપી ઘુસી ગયાનું ધ્યાને આવતા જ તંત્ર દ્વારા આવા લોકો સામે જાહેરનામાં ભંગના ગુન્હા ઉપરાંત કોરોનટાઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એવામ આવા વધુ ત્રણ કિસ્સાઓ જામનગરમાં સામે આવતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પહેલા કિસ્સામાં નરેંન્દ્ર મુળજીભાઈ જે ક્લીનર તરીકેનું કામ કરે છે તેને વલસાડ થી ખાનગી વાહનમાં જામનગર પહોચી જતા તેની સામે ગુન્હો નોંધાયો છે. તો બીજા કિસ્સામાં ચનાભાઇ વશરામભાઇ શીયાળ જે હાલાર સોલ્ટમા સુપરવાઇઝર તરીકે કામ કરે છે તે મુળ ભાવનગરના વતની હોય જિલ્લાની હદ ક્રોશ કરવી નહી તે રીતે ના જાહેરનામા અમલમા હોઇ તેમ છતા આરોપી એ ભાવનગર થી કોઇપણ આડકતરી રીતે થોડા થોડા અંતરે વાહન બદલી કરી છુપાઇ ને ભાવનગરથી જામનગર ની જિલ્લા ની હદ મા પ્રવેશી તેની સામે પણ કાર્યવાહી થઇ છે, તો ત્રીજા કિસ્સામા ભીખાભાઇ પૂનાભાઇ વાલીયા ઉના માં રહેતા અને ડ્રાઈવિંગ નું કામ કરતા ગરાળા ગામ થી કોઇપણ આડકતરી રીતે થોડા થોડા અંતરે વાહન બદલી કરી છુપાઇ ને ભાવનગરથી જામનગર ની જિલ્લા ની હદમા પ્રવેશી અને પ્રશાશન ને જાણના કરી હોય તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.