• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Wednesday, April 23, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, 2023માં પ્રવાસીઓની સંખ્યાનો આંકડો છે આવો

My Samachar by My Samachar
January 1, 2024
in નર્મદા
Reading Time: 1 min read
A A
સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, 2023માં પ્રવાસીઓની સંખ્યાનો આંકડો છે આવો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-નર્મદા:

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ એકવાર ફરીથી નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. વર્ષ 2023માં 51,18,955 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. આ આંકડો હજુ પણ વધી શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે જણાવ્યું કે, ગત વર્ષે એટલે કે 2022માં લગભગ 46 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા હતા, પરંતુ આ વર્ષે આ આંકડો 50 લાખને પાર થઇ ચુક્યો છે, 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018થી માંડીને 2023 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે 1 કરોડ 75 લાખ 26 હજાર 688 પ્રવાસીઓ પહોંચ્યા છે, અને એવું પહેલીવાર થયું છે કે એક જ વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા 50 લાખના આંકડાને પાર કરી ગઇ છે. છેલ્લા પાંચ વર્ષોના આંકડા પર જો નજર નાખીએ, તો વર્ષ 2018માં 4,53,020 પ્રવાસીઓ, વર્ષ 2019માં 27,45,474 પ્રવાસીઓ, વર્ષ 2020માં કોવિડ-19 મહામારીના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો, તે વર્ષે 12,81,582 પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે તેના પછીના વર્ષે એટલે કે 2021માં પ્રવાસીઓની સંખ્યા વધીને 34,32,034 અને ગત વર્ષ 2022માં 45,84,789 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા હતા. તો ગતરોજ પૂર્ણ થયેલ વર્ષ 2023માં 51,18,955 એટલે કે અડધો કરોડથી વધુ પ્રવાસીઓ પાછલા એક વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.

ઉદિત અગ્રવાલે જણાવ્યું કે, અહીંયા આવનારા પ્રવાસીઓની સુવિધા માટે તમામ પ્રકારનું ધ્યાન રાખવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્રએ પ્રવાસીઓના આવાગમનને સરળ બનાવવા અને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા માટે બસોની સંખ્યામાં વધારો કર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા વૃદ્ધ અને દીવ્યાંગ પ્રવાસીઓ માટે નિઃશુલ્ક વ્હીલચેરની સુવિધા આપવામાં આવી રહી છે. વ્હીલચેરની મદદથી વૃદ્ધ અને દીવ્યાંગ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર પરિસરની સાથે-સાથે વ્યૂઇંગ ગેલેરીના મનોહર દ્રશ્યોનો આનંદ પણ લઇ શકે છે. 

એકતા નગરને વિકસિત કરવા માટે નવા આકર્ષણો શરૂ કરવામાં આવ્યા છે. સાથે જ, મુખ્ય જે આકર્ષણો છે, તેમને વધુ બહેતર બનાવવામાં આવ્યા છે. એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ઝરવાણી-ખલવાની ઇકો ટુરિઝમ, સાયકલિંગ અને રિવર રાફ્ટિંગ જેવા આકર્ષણો પણ વધુ આકર્ષક બનાવવામાં આવી રહ્યા છે. 

આ ઉપરાંત, અહીં આવનારા પ્રવાસીઓ મન, આત્મા અને શરીર વચ્ચે સંતુલન સાધી શકે, તે માટે આરોગ્ય વન વેલનેસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. અહીંયા આવીને પ્રવાસીઓને એક અલગ જ શાંતિનો અનુભવ મળે છે. અહીં પ્રવાસીઓને પ્રાચીન ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો લાભ મળે છે, જેના માટે આયુર્વેદ વેલનેસ સેન્ટરમાં પ્રશિક્ષિત ડોક્ટર અને સ્ટાફ હાજર છે. આ ઉપરાંત, આરોગ્ય વનનું ભ્રમણ કરીને પ્રવાસીઓ આયુર્વેદિક વનસ્પતિઓ, સારવારમાં ઉપયોગી થાય તેવી ઔષધિઓ વિશે જાણકારી પણ પ્રાપ્ત કરે છે. એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને ધ્યાનમાં રાખીને એકતા નગરનો પણ સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેનું પરિણામ એ છે કે એકતા નગર વૈશ્વિક મંચ પર ‘એક નગર, શ્રેષ્ઠ નગર, એકતા નગર’ તરીકે વિકસી રહ્યું છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરનો ફ્લાયઓવર: રૂ. 33.78 કરોડનો વધારાનો ખર્ચ શા માટે ? આ રહ્યો જવાબ…

જામનગરનો ફ્લાયઓવર: રૂ. 33.78 કરોડનો વધારાનો ખર્ચ શા માટે ? આ રહ્યો જવાબ…

April 23, 2025
અંગૂઠાછાપ બચી જાય અને ભણેલાંઓ ભેરવાઈ જાય તે છે સાઈબર ક્રાઈમ

ગુજરાતીઓ ઓનલાઈન લિંક ક્લીક કરે છે અને કરોડો ગુમાવે છે..!

April 23, 2025
જામનગર લોકસભા : મહિલા મતદારો આટલાં ઉદાસીન કાં ?

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના ચક્રો હજુ ગતિમાન થયા નથી…

April 23, 2025
જામનગરના પ્રદર્શન મેદાનમાં ST તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન…

જામનગરના પ્રદર્શન મેદાનમાં ST તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન…

April 23, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરનો ફ્લાયઓવર: રૂ. 33.78 કરોડનો વધારાનો ખર્ચ શા માટે ? આ રહ્યો જવાબ…

જામનગરનો ફ્લાયઓવર: રૂ. 33.78 કરોડનો વધારાનો ખર્ચ શા માટે ? આ રહ્યો જવાબ…

April 23, 2025
અંગૂઠાછાપ બચી જાય અને ભણેલાંઓ ભેરવાઈ જાય તે છે સાઈબર ક્રાઈમ

ગુજરાતીઓ ઓનલાઈન લિંક ક્લીક કરે છે અને કરોડો ગુમાવે છે..!

April 23, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®